SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ સાધ્યને માગે હોવી જોઈએ. બને તેટલા ત્યાગની સૂચના કરવી, પણ ચોગના અસંખ્ય માર્ગો હેઈ, કેઈ અન્ય રીતે પિતાની પ્રગતિ સાધતો હોય તે તેને માટે તે માર્ગ પણ ઈષ્ટ હોઈ શકે, એટલી વિચારની વિશાળતા રાખવાની જરૂર છે. * સર્વથી વધારે અગત્યની વાત આંખે બંધ રાખવાની છે. જ્યાં સુધી પ્રાણીના વિવેકચક્ષુ ખૂલે નહિ, એ સ્વ અને પરનું વિવેચન કરી શકે નહિ, એ બાહ્ય આડંબર અને ધમાલમાં ધર્મ માનતે અટકે નહિ, એની અંત દશાં. જાગૃત થાય નહિ, એની પરિણતિમાં વિવેકપૂર્વક નિર્મળતા થાય નહિ ત્યાં સુધી એ આખો દિવસ દેડે, હરે ફરે કે કિયાની ધમાલ કરે, એ સર્વમાં એણે ખ્યાલમાં રાખવાની જરૂર છે કે દિવસને અંતે એ માઈલે સુધી ચાલે તે પણ ઘેર ઘેર છે. આ ચકભ્રમણ ગતિ માટે અનેક જગ્યાએ શાસ્ત્રકારે બહુ વાત કરી છે. એ બધી વાતને સાર “વિવેકજ્ઞાન શબ્દમાં આવી જાય છે. જ્યારે પ્રત્યેક કાર્યની પિતાની ઉપર ખરી અસર શી થાય છે ? પોતાની પ્રગતિને અંગે એ કાર્ય શો ભાગ ભજવે છે ? અને એ કાર્ય સમાન કક્ષાએ અંગત કેટલે લાભ કરે છે ? એ પ્રાણું પોતે સમજે, ત્યારે તેની ચકભ્રમણ ગતિ અટકે. બેટી ધમાલ કરતાં આ વિજ્ઞાન પ્રાપ્ત કરવાની વધારે આવશ્યક્તા છે, વિવેક વગરની દેડાડનકામી છે અને ઘણી વાર પાછી હઠાવનારી પણ થઈ જાય છે, તે વાત તે બરાબર સમજે. એને એક દાખેલે વિચારવા જેવું છે. એક શેઠ હતા. એમણે શ્રી સિદ્ધાચળનો સંઘ કાઢયે હતે. ખર્ચ પણ સારો
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy