SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૧૧//www ચીને બળદ ૧૮૭ પડતું લાગતું નથી, પણ જે એ ઉપરથી એમ ધારવામાં આવે કે સર્વ ક્રિયા ઈષ્ટ ફળ જરૂર જ આપે છે તે તે નિદાન સર્વથા પ્રાયવ્ય નથી. ક્રિયાનું ફળ જરૂર મળે છે, પણ તે સર્વદા ધારેલ ફળ આપે છે એમ ધારવાનું નથી. એ જ નિયમ ગતિને પણ લાગુ પડે છે. ગતિ સર્વ પ્રકારની સાધ્ય તરફ લઈ જનાર જ હોય છે એમ ધારવાનું નથી. કેટલીક વાર ગતિ પાછી હઠાડનારી પણ હોય છે અને કોઈ વાર તે વર્તુળાકારે હાઈ, ચકબ્રમણમાં નાખનારી હાઈ, જરાપણું આગળ વધારનારી હોતી નથી. ' આ પ્રમાણે હોય તે આપણે પણ ગૂંચવણ ભરેલી સ્થિતિમાં આવી જઈએ એમ કેટલીક વાર લાગી આવે છે. કેટલાક જીવ કિયા અનુષ્ઠાનમાં સર્વસ્વ માની લઈ આ વખત પિતાને રુચે તેવી ક્રિયા કરે છે, કેઈ દ્રવ્યપૂજામાં તે કઈ પડિલેહણમાં, કેઈ પિષધમાં તે કઈ મહોત્સવમાં, કઈ યાત્રાપ્રસંગમાં તે કઈ સ્વામીવાત્સલ્યમાં ઈતિક્તવ્યતા માની બેસે છે. આ સર્વ ક્રિયાઓ રોગ્ય છે, એગ્ય માર્ગે લઈ જનારી છે અને પુષ્ટ સાધનથી ભરેલી છે, પણ તે સાધ્યપ્રાપ્તિરૂપ ફળ જરૂર જ આપનારી છે એમ જે સર્વ ક્રિયા કરનાર ધારી લે છે. કેટલીક વાર એ છેતરાઈ જાય છે, આવું સાધારણ રીતે ન ધારેલું પરિણામ શા માટે આવે છે તેના ઊંડા રહસ્યમાં ઊતરવાની ખાસ જરૂર છે. આપણે કેટલાએ ક્રિયારૂચિ પ્રાણીઓ જોઈએ છીએ, જેઓ પૂર્ણ શ્રદ્ધાથી એકસરખી ક્રિયા આજન્મભર કરતા
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy