SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ તી વાતાવરણમાં અપૂર્વ શાંતિ ૧૮૩ શાંતિ અને એવા સાગામાં એણે જે દશા અનુભવી તે કોઈ અસાધારણ હતી, અપૂર્વ હતી. એ પરમાત્મદશાના માર્ગના અનુભવ તા અને થયા નહિ, પણ માગે છે અને અતરવાટિકામાંથી મળે તેમ છે એટલુ તે જોઇ રહ્યો. પરમાત્મા આવા સુંદર માર્ગ પામી ગયા અને પોતે તા હજી સંસારદશામાં રઝળતા હતા એ વાતનુ એને ભાન હતું, પણ અત્યારે તે જાણે પાતે પણ અતવાટિ કામાં ઊતરી ગયા હાય એમ એણે ધાર્યું. ત્યાં એને અનેક ચેાગીએ અને સત્પુરુષોની હાજરીના ભાસ થયેા. ઘણા દુનિયાદારીના માણુસા હતા, પણ જેને એ સત્પુરુષ માનતા હતા તેમાંના એક એ સિવાય કાઇ તેના જોવામાં ત્યાં આવ્યા નહિ. એને વળી વધારે નવાઇ જેવી વાત તેા એ લાગી કે ત્યાં એણે એ ચાર તદ્ન સાદા માસાને જોયા. એ કાઈ ભણેલા નહિ, સાદું જીવન જીવનારા, બહુ ઓછુ એકલનારા એવા હતા તે ત્યાં અંતરવાટિકામાં દેખાયા. એ કેાઇની સાથે વાત કરવા ઈચ્છતા હતા, પણ સર્વ પોતપાતાના કાર્યમાં લાગેલા હતા એટલે કેાઈની સાથે એને વાત થઈ નહિ. અને અતરવાટિકામાં સ્વયં પ્રકાશ ઘણા ઝળહળતા છતાં આંખાને મૂઝવી નાખે તેવા પ્રચંડ નહિ પણ શાંત દેખાયા. દૂરના ભવ્ય દીપકની સ્થિરતા, જ્યેાતિ અને શાંત તેજ તે એને અજખ લાગ્યા. અંદરના પ્રાણીઓનાં રૂપ તે એની દેવના રૂપની કલ્પનાને વિસરાવે તેવાં હતાં અને દરેક વધારે રૂપવાન થતા જતા હાય એમ એને લાગતું હતું. અંતરવાટિકામાં પણ પાણીનાં સરોવરો, નદીઓ, ફુવારાના પાર ન હતા. કુવારાનુ જળ અત્યંત સુગ ંધયુક્ત હતુ. નદીનાં જળ ધીમી પણ મક્કમ શાંતિથી વહી રહ્યાં હતાં. વચ્ચે નાના ને માટા પર્વતા આવતા
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy