SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મનિરીક્ષણ કેટલી હાનિ પહેાંચી છે તેને આપણે વિચાર કરતા નથી, સમજતા નથી અને માત્ર ઉઘાડી આંખે અંધની માફ્ક પ્રવૃત્તિ કરીએ છીએ. આજકાલ તેા જનસમૂહનું જીવન સચા અથવા પથ્થર જેવું દેખાય છે: જેએ બહુ પ્રવૃત્તિમાં પડેલા હોય છે તેઓ આખા દિવસ કામ કર્યો જ કરે છે અને વરાળ બંધ થાય ત્યારે સંચાની માફક બંધ થાય છે. આવા જીવા સંચાને તેલ વગેરે મૂકતા નહિ હાવાથી મળમાં ઘસાતા જાય છે, આછા થતા જાય છે અને છેવટે અધેાગતિ પ્રાપ્ત કરે છે. સુસ્ત માણસા પથ્થરની માફક એક સ્થાનકેથી બીજે સ્થાનકે ગતિ કરવાને અસમર્થ છે. તેઓને જો કોઇ પ્રેરે તેા જરા ચાલે છે, પરન્તુ ઘણે ભાગે તેઓની આત્મિક શક્તિ કાટ ખાઈ જાય છે અને તેથી તેઓનુ આત્મિક બળ ધીમે ધીમે નાશ પામતુ જાય છે. આ બન્ને પ્રકારના માણસેાથી જુદા પ્રકારના સાધ્ય દષ્ટિવાળા પ્રાણી પેાતાનાં સર્વ કાર્યો પર નજર રાખે છે, અને તેમાંથી ચાક્કસ ભૂલેા શેાધી કાઢી તે તરફ પ્રવૃત્તિ થતી અટકાવે છે. આ ટેવથી પેાતાનાં સર્વ કાર્યો પર કાબુ રહે છે. તે હંમેશાં જાગૃત હાવાથી કોઈ પણ કાર્ય તેની નજર બહાર જતું નથી. તેવા માણસાની પ્રવૃત્તિ બહુ વિચારના પરિણામ તરીકે નિમીત થએલી હાય છે, તેથી તે નિયમીત રહે છે, નકામા વખત ગાળતા નથી, અને કામે આટોપવામાં તેને એવી તે ચાલાકી પ્રાપ્ત થાય છે તથા દરેક કાર્યો એક એવી સાંકળમાં ગુંથાઈ જાય છે, કે તે દરેક આંકડાએ સહેલાઇથી પસાર કરી શકે છે; જ્યારે બીજો માણસ આ કામ કરૂ કે પેલું કરૂ, તેની અકળામણુમાં આખા દિવસ રવડયા કરે છે
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy