SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ સંત સમાગમની બીજી ઘડી ૧૪ સંતા–“શું આવશે એમ ધારી શકાય.' મુમુક્ષુ:–એ વધારે પ્રશંસા લખશે.” ભર–કદાચ એ તને કુબેર ભંડારી કે કર્ણ દાનશ્વરી સાથે પણ સરખાવે.” છે. મુમુક્ષુ બનવાજોગ છે. તેથી એાછું વધતું પણ લખે. સંત-કાંઈ પણ જવાબ આવશે એમ તેં તે મુદાને અંબે પત્ર લખ્ખતી વખતે ધારેલું ?” મુમુક્ષુ:–“વ્યવહારમાં આવા જવાબ આવે છે એવો મારે અનુભવ છે.” સંતઃ–ત્યારે સમજ કે તે લખ્યું કે તું પશસાને પાત્ર નથી એજ માન છે.” મુમુક્ષુ –અજબ વાત કરે છે ! પ્રશંશાની ના - પાડવી એ તે માન હોય?” સંતા–એમાં ઊંડાણમાં માન છે, માનની લાગણી છે, માતની એરણું છે. માન નથી કરવું એમ કહેવું એના ગર્ભમાં માને છે, લખાણી શેલી અથવા બેલવાની રીત ઉપરથી માનની હાજરી તુસ્ત જણાઈ આવે છે. - મુમુક્ષુ –આપે તો વકીલની માફક ઊલટ તપાસ કરવા માંડી. મને ઘણી નવાઈ લાગે છે.” સંત –“આવી ઊલટ તપાસ તું તારી જાતની કર.” મુમુક્ષુ –એટલે આપ શું કહેવા માગે છે.' સંતા–એટલે વાત એટલી જ કે તું તારે ગુરુ અને તારે ચેલે–અને બની જાય મુમુક્ષુ -વળી ઊલટમાંથી ગુલામાં કયાં ચાલ્યા, ગયા? એ તે ન્યાયમંદિરમાંથી ઉપાશ્રયે પહોંચી ગયા!”
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy