________________
વિલક્ષણ અનુભવો
muuunnnnnnnnnnnnnn તે વખતે ડેશીની પ્રાર્થના પૂરી થઈ હતી. ડોશીને લાગ્યું કે જમ આવે. ભેંસના જેવા જ દેખાવની “યમ”ની કલ્પના હોય છે, એટલે હાથ લાંબા કરી, આડા ધરી ઊંચેથી બોલી ગઈ. “અરે! મારી દીકરી તે અંદર ખાટલામાં સૂતી છે, અંદર જાઓ, અંદર જાઓ.” આડા હાથ દેવાથી ભેંસ તે બીજી બાજુ ચાતરી ગઈ અને પ્રાર્થનાને ભરમ ફૂટી ગયે.
વીર પ્રભુ આવે તે. આજે સ્વમ આવ્યું કે શ્રી વીર પરમાત્મા પૃથ્વી પર પધાર્યા છે. તેમણે એક દેવદુષ્ય-સાદું વસ્ત્ર ધારણ કર્યું હતું, તેઓની ઊંચાઈ આપણાથી લગભગ બમણી હતી, તેઓનું તેજ અજબ હતું. શુદ્ધ-સ્પષ્ટ સમજાય તેવી ભાષામાં તેઓ વાત કરતા હતા. એમને પ્રથમ કેટલાંક વેતાંબર ભાઈઓ મળ્યા. તેમણે જોયું કે પ્રભુને માથે મુગટ નથી, આંખ પર કૃત્રિમ આખો ચઢાવી નથી, અંગે ચાંડલા નથી, કેડમાં કંદરે નથી, એટલે એમણે તે ભગવાનને નમવાની પણ ના પાડી, સાંભળવાની પણ ના પાડી. દિગમ્બરે પાસે ગયા તે તેમના શરીર પર દેવદૂષ્ય વસ્ત્ર જોઈ તેમણે તેમની સામું જોવાની પણ ના પાડી. સ્થાનક્વાસી ભાઈઓ પાસે ગયા તો જીવતી મૂર્તિની આવશ્યકતા વિચારી તેમણે પણ કંઈ કેટું આપ્યું નહિ. ત્યારપછી ભગવાને અષ્ટ મહાપ્રાતિહાર્ય સહિત સમવસરણની અંદર બેસી દેશના દેવા માંડી. દેવે આવ્યા, મનુષ્ય આવ્યા, પણ એમાં એક પણ