SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ સાધ્યને માર્ગે છે. સંપ્રદાય પ્રમાણે ભારતે તેની પૂજા કરવી જોઈએ. એના હર્ષ ને પાર નથી. ત્યાં બીજી જ ક્ષણે સમાચાર આવ્યા કે પિતાશ્રીને કેવળજ્ઞાન થયું છે અને અયોધ્યાની બહાર સમવસરણમાં બિરાજે છે. પિતાશ્રીની જ્ઞાન લમીન મહેસૂવ કરે જેઈએ. ચક પ્રથમ કે પિતાને વંદન પ્રથમ.“તાત ચક ધૂર પૂજ્ય, ચિંતા એહ હુઈરી ”# પણ એવી ગૂંચવણના નિર્ણયમાં શ્રી ભરતે કલાકે લીધા નહિ. ઐહિક પારલૌકિક સુખને, સંસાર અને ત્યાગને, પૈભવ અને વિભૂતિને, બાહા અને અંતરને હિસાબ એક ક્ષણમાં એના મનમાં બેસી ગયે. લોકેત્તર સુખ પાસે એને છ ખંડનું રાજ્ય ઘણું અલપ લાગ્યું અને ચકને આયુધશાળાની બહાર રહેવા દઈ વડીલ માતા દાદી મરુદેવાને હાથી પર બેસાડી પિતા તરફ ધર્મબુદ્ધિએ, માતામહી તરફના વાત્સલ્ય અને આત્મસન્મુખતાએ એ પિતાને નમવા નીકળી પડયા. આવા અમેઘ નિર્ણયવાળા લેહીની નદીઓ વહેવડાવે, છતાં એજ ભાવમાં મેક્ષ સાધી શકે ! આવા અસાધારણ મને બળવાળાને આવેલ ચક્રરત્ન પાછું ન ચાલ્યું જાય, સાંપડેલ ઋદ્ધિ દૂર ખસી ન જાય, ઈષ્ટપ્રાપ્તિ અલેપ ન જ થાય અને થઈ જાય તે એની એને પરવા ન હોય, એમાં અટવાઈ જવાની ચિંતા પણ ન હોય, એમાં ભૂલભૂલામણની આશંકા ન હોય, દઢ નિર્ણય અને અવિશ્રાન શાંતિ સાથે અંતરની સ્વચ્છતા કહે છે કે આ વિચિત્ર વાક્યરચનાની જવાબદાર વ્યક્તિ તે સિદ્ધ લેખક શ્રીમદ યશોવિજયજી ઉપાધ્યાય છે. દૂર એટલે પ્રથમ.એમને છા મહિનાથના સ્તવનમાં લૌકિક રીઝ અને કેસર રીઝ વચ્ચે ભારે ગુલામણ કર્યું છે અને એમને નિર્ણય પણ બહુ વિચારવા જેવો છે. આ વિચાર પર મુમુક્ષુએ કાંઈ નેંધ કરી હોય એમ જણાય છે.
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy