SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ સાધ્યને મા જ્યારે તને આઠ પગે બહાર કાઢશે ત્યારે આ ઘરમાં પાછા આવવાનો માર્ગ કર્યો? તું કયે રસ્તે પાછો આ જ બંગલામાં આવીશ? એને હું વિચાર કરી રહ્યો હતો! તે મોટા માણસોને આવવાના, ઘરના માણસને આવવાના, કરવર્ગને આવવાના માર્ગોનો ઘણે વિચાર કર્યો જણાય છે, પણ તારે પિતાને વિચાર કર્યો હોય એમ મને જણાયું નહિ! મેં એ માર્ગ–તારા પાછા આવવાને માર્ગ ઘણે છે, પણ મને જ નહિ અને ઉપસ્કરના વર્ણન તથા દર્શનમાં એવા માર્ગની તેં મને પ્રતીક્ષા કરાવી નહિ. હું એ માર્ગને વિચાર કરતું હતું. જ્યારે આપણે એક બાબતમાં ધ્યાનથી વિચાર કરતા હોઈએ છીએ ત્યારે બેલવાનું કામ પાલવતું નથી તે મારા મૈનનું કારણ છે.” મુમુક્ષુ–ત્યારે હું જે વર્ણન કરતા હતા તે તે આપે સાંભળ્યું જ નહિ હોય? - સંતઃ–“દરેકે દરેક હકીક્ત બરાબર સાંભળી છે. સાંભવ્યા વગર તે તે વર્ણનમાં અમુક માર્ગ–આરી બારણું રસ્તાની વાત ન આવી એમ કેમ કહી શકાય? . મુમુક્ષુઃ–પણુ આપે તે કહ્યુંને કે આપ આપે વખત વિચાર કરતા હતા? વિચારની એકાગ્રતા સાથે શ્રવણ કેમ નભી શકે?” સંત – સાંભળતી વખત વિચારધારા બંધ થઈ જતી નથી. સાંભળતી વખતે વિચારસરણું ચાલ્યા કરે છે. બોલતી વખત એકાગ્રતા તૂટી જાય છે.”
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy