________________
જ્ઞાન પ્રદીપ
શત્રુંજય મહાતીર્થભૂમિની સ્પર્શના આત્માનું સર્વ શ્રેય કરવાવાળી હેવાથી નિઃશંકપણે શ્રદ્ધાપૂર્વક આત્મહિતેચ્છુઓએ અવશ્ય કરવી જોઈએ. તીર્થ સ્પશનાનો હેતુ આત્મશુધ્ધિ સિવાય બીજે કંઈ પણ ન હોવો જોઈએ. તેમ જ આત્મશુદ્ધિના બાધક કષાયવિષયથી નિવૃત્ત થઈને સમભાવમાં રહેવું જોઈએ. પુદ્ધ ગલના નિરંતરના અનેક પ્રકારના વપરાશથી આત્મા ઝાંખો પડી ગયો છે તેને પાછો તેજોમય બનાવવા તરૂપ અગ્નિમાં નાખવો જોઈએ અને પ્રભુગુણ સ્તવન- ચિંતવનનો એપ ચઢાવી ચચકિત કરે જોઈએ. આ પ્રમાણે વિધિપૂર્વક જે તીર્થભૂમિની સ્પર્શના કરવામાં આવશે તે અવશ્ય આત્મા પરમાત્મા બની, પૂર્ણ વિકાસીની પંક્તિમાં ભળી જઈને શાશ્વતું સુખ મેળવશે.