SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ ] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન આશાતના થઈ હેય, આશાતના થાય છે તે કોઈ ટાળતું નથી, આશાતના પહેલી ટાળવા જેવી ચીજ છે. આથી ત્રણ “નિરીદ જુદી રાખી છે. એક ઘરના કામકાજ છેડીને મંદિરનું તપાસવામાં. મંદિરને તપાસીને ગભારામાં પેસે ત્યારે બીજી. ત્યાં બીજું ચિંતવવું નહિ. ત્રીજી અંગપૂજા પછી. આ પાપની બિરાહિ નથી પણ વ્યાપાર અંતરના નિષેધરૂપ નિહાદ છે. બીજા વ્યાપારને બંધ કરે તેની સિદ્ધિ છે. પહેલી જે બારણ આગળની તે કદાચ પાપરૂપ તેથી નિરીદિ બીજા આગળ પાપરૂપ નથી. દેશનાના કાર્યની પણ નિહિ અહીં છે. બધાં પદાથો ભક્તિની હદના હોય, પ્રમાણની હના ન હોય– જિનેશ્વરની ભકિત અષ્ટ પ્રકારની પૂજાથી. તે બને તેટલી વિભૂતિથી. ભગવાનની જરૂરને માટે પૂજા કરતા નથી એ ખ્યાલ રાખજે, જેમ દેવેન્દ્રએ, દેવતાઓએ મેરુ પર્વત ઉપર અભિષેક કર્યો. તે વખતે ભગવાનને નવડાવવા માટે કેટલું પાણી જોઈને તેને વિચાર કર્યો? આટલા સરખા ભગવાન. મેટા કળશને શું કામ હતુ? ભાગવાનની કાયાને અંગે લેટો પાણી બસ હતું. એ બધું ભગવાનને માટે નથી, ભકિતને અંગે છે. શક્તિ હોય તેટલે લાભ કરે કળશે જજનને લાવીને દેવતાઓ અભિષેક કરે છે. જિનેશ્વરની ભક્તિને અંગે પ્રમાણને મુદ્દો નથી. ઉલ્લાસ પ્રમાણે ભક્તિ. ચંદન વગેરે પૂજા કરીને ઊતરતાં શાંતપણું ન જવું જોઈએ. ચંદન તે બગડ્યું નથી. ચંદનના તો કુંડાંને કુંડાં ઢોળાય તેમાં વધે નથી, પણ મુદ્રા બગડવી ન જોઈએ. જે આટલું ખર્ચ ધર્મનિમિત્તે થાય છે તેજ આશ્રવથી બચે છે. કેસરને કૂવાને કૂવા ચરણ ઉપર ઢાળ. પાણી, ચંદન, કેસર બધાં પદાર્થો ભક્તિની હદના હોય, પ્રમાણની હદના હોય નહિ. સ્નાન, ચંદન, વિલેપન, કેસર મહારાજને માટે નથી, ભક્તિને અગે છે.
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy