SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ એકતાલીસમું ] સ્થાનાગસૂત્ર [ ૧૯૩ ત્યાં પંચમહાવ્રતની દેશના દીધી. તીર્થકરોને પહેલો સંદેશો કહેવાવાળા ધ્યાનમાં રાખજે કે પંચ મહાવ્રતની જડ ન હોય તેવી દેશના તે દેશના નથી, પણું વેતાલને સંદેશો છે. મોક્ષના સ્પેશિયાલિસ્ટ ડોકટર, તે રોગ પ્રચાર પામે તેવું કરે તે અધમમાં અધમ કહેવાય. જેણે પિતાના કર્મ તયાં છે, તેવા એક અંશે પણ કર્મબંધનું કારણ કરી દે તે અધમ કટિમાં આવી જાય. જિનેશ્વર એટલે ભવવ્યા. વિના ડકટર. ભવ્યાધિ કેમ અટકે? ભવયાધિ ઉત્પન્ન ન થાય તે કરે. તેમાં જ મશગુલ રહે. ડૉકટરને ઘેર રહેલ કમ્પાઉન્ડર ડૉકટરની ધારણાથી વિરુદ્ધ કરનાર હોય તે બેઈમાન કહેવાય. તીર્થકર ભગવાનને ઘેર નેકરી કરીએ છીએ, નિજારાને પગાર આપે છે. એને ત્યાં રહેલે કમ્પાઉન્ડર બંધની, આવનાં કારણે પિષે તે તે વખતે ખાસડાં ખાઈને જવું પડે. પૂજામાં થતી આશાતના પૂજાની, પુષ્પની વિધિ-“ જાપજી” “શ્રાવિધિ માં કહેલી છે તે ઉપર પૂજા કરનારા લક્ષ રાખે તે ફાયદો કરે. સ્નાન કરતી વખતે ઓરડીમાં બાજઠ ઉપર બેસવું. ચારે બાજુ થાળું હેય તેમાં પાણી એકઠું થાય. હાઈ રહે ત્યારે પાણી કાઢી નાંખે. પગ કેરા કરવા. પગ કેરા થવા જોઈએ તે ધ્યાન રાખવું. “ઓટલાની કિનાર પર સ્નાન કરવું તે કીડીઓના દર પૂરવા માટે છે એમ કહેવાય. જ્યાં જિનમંદિરમાં જાય ત્યાં ગુણોને ચિંતવત અનુમોદના કરવી, પણ આપણે તે દુકાને જઈએ છીએ એમ ચિંતવીએ છીએ. નિર્મળ ટાઈમમાં કાં કચરો નાખો છો ? જ્યાં જિનેશ્વરની પ્રતિમાના દર્શન થાય ત્યાં નમસ્કાર. પૂજામાં આવે ત્યારે ત્રણ ખમાસમણ દીધા વિના બેસાય નહિ. ઇદ્ર જેવા દૂર બેઠેલા પણ ત્રણ વખત જમીન પર માથું અડાડે. ખમાસમણ દે પણ કાં ખાવાની સ્થિતિ છે. દહેરાના બારણું આગળ ભગવાન દેખાય ત્યારે નમસ્કાર. રાજસભામાં બારણામાં પેસે ત્યાં ઘૂંટણીએ પડવું પડે છે. મંદિરની અંદર જતાં ૧૩
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy