SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ જય જૈન પત્રકારત્વ અ પાઇ બેઠા હતા, મેં ગભરાઈને પૂછ્યું, “શું થયું બાપુજી? સાંભળ્યું છે કે હાડકું ભાંગ્યું છે?' તેમણે કહ્યું બહુ સારું થયું. છેલ્લા પગથિયેથી પડ્યો, છેક ઉપરથી પડ્યો હોત તો?' હાથમાં કાચો પાટો હતો અને ચહેરા ઉપર હાસ્ય. જીવન માટે પ્રેમ હતો, પરંતુ કાયાની આસક્તિ નહોતી. પ્રત્યેક શ્વાસ ઋણરૂપ માનતા હોય એવી રીતે એઓ જીવન જીવ્યા. હું કઈ રીતે દરેક ક્ષણે સ્વસ્થ રહે જેથી મારું જીવન અન્યને ઉપયોગી થાય અને જીવન પ્રસન્ન રહે. દુઃખી દેખ કરુણા જગે, સુખ દેખ મન મોદ. દુઃખીને જોઈને મનમાં કરૂણા જાગે, સુખીને જોઈને મન પ્રસન્ન થાય. ઉચ્ચતમ બ્રહ્મવિહારી અધ્યાત્મભાવ તેમણે નિભાવ્યો. આ જીવન એમનો યજ્ઞ હતો. તેને ત્યવન મૂંગીથા:' અર્થાત ત્યાગી-ભોગવી જાણો એવા ઉપનિષદનું તેમણે અક્ષરશ: પાલન કર્યું હતું. તેમણે આ જીવન સત્યને સમજી લીધું હતું. એની પ્રમુખ પ્રતીતિ એ એમનો બિનસાંપ્રદાયિક સ્વભાવ હતો. બીજું, સંસારમાં ખાસ તો મનુષ્યજન્મ મળવાથી દરક પરિસ્થિતિમાં સુખી રહેવાની સહજ વૃત્તિ. - ઈશ્વરનું દરેક માન્ય સ્વરૂપ તેમને માટે વંદનીય હતું. ઘરમાં વિભિન્ન દેવી દેવતાના અનેક ચિત્રો, શો-પીસ, કેલેન્ડર વગેરે હોય જ. દરરોજ તેઓ કૃષ્ણ, શંકર, દત્તાત્રેય બધાની સમક્ષ એટલી જ શ્રદ્ધાથી ધૂપ દીપ કરતા, જેટલી શ્રદ્ધાથી તેઓ મહાવીરસ્વામીની સમક્ષ કરતા. તેમનો ભગવાન આખરે કોણ હતો? તેમના માટે ઈશ્વર, એ તત્ત્વ હતું. જે સંસારના મોહ અને અસ્થિર સ્વભાવના જીવોમાં જાગૃતિ લાવવાની પ્રેરણા આપતું હતું, સહાયતા કરતું હતું. અથવા કહો કે જાગૃતિ અને કરૂણાનું પ્રતિક હતું. લાખો કરોડો નવકાર જપવા છતાં તેમના મનમાં પોતે જૈન પરિવારના છે એવો ભાવ ન હતો. આ મહામંત્રમાં મુક્ત આત્માઓ અને સાધુજનોના ગુણોના શરણે જવાથી સર્વ મંગળ સાધવાની યુક્તિ છે, આ જ વાત ઉપર તેમનું લક્ષ્ય હતું. નવકાર મંત્રમાં નિહિના ૧૦૮ ગુણોનું રટણ તેમના મનમાં સતત ચાલ્યા કરતું. આ જ કારણ હતું કે સર્વ તપ અને નિયમો પાળવા છતાં જરા પણ આળસ કે રૂઢિના પટ ચઢવા દેતા ન હતા. દરેક ક્ષણે જાગૃત, પ્રતિક્ષણ સચેત. માનવ જીવનનો પૂરેપૂરો લાભ લેવા માટે જ તેમણે ગીતાના તમામ યોગો એક સાથે અપનાવ્યા હતા - કર્મઠતા, ભક્તિ, જ્ઞાનધ્યાન અને કર્મસંન્યાસ. ૧૮
SR No.023469
Book TitleJain Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherVeer Tattva Prakashak Mandal
Publication Year2014
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy