________________
જૈન પત્રકારત્વ
પધર્મપરાયણ, તપસ્વી, કર્મઠ અને સમર્પિત સંગિની તો અનેક જન્મોમાં પણ ન મળે. ઘણા ઉપચાર કરાવ્યા પરંતુ નિદાન ઘણું મોડું થયું. તેમણે ઘણી સેવા કરી. એક વર્ષ બધું છોડી રાત-દિવસ તેમની પાસે રહ્યા. એક દિવસ સંધ્યા-પ્રાર્થના કરતી વખતે તેમને આભાસ થયો કે અંતિમ દિવસ આવી ગયો છે. અમને કહ્યું, ‘ત્રણ કલાક અથવા ત્રણ દિવસ એટલો જ સમય બાકી છે.’ એક કલાકમાં જ માતાજીની સ્થિતિ બહુ જ ખરાબ થઈ. બાપુજી સંપૂર્ણ સજાગ થઈ ગયા અને સંગિનીના સમાધિમરણની યોજની તૈયાર કરી લીધી. તેમણે માતાજીને કહેવાનું શરૂ કર્યું. ‘તમારો અંતિમ સમય આવી ગયો છે. તમને ભૂમિ ઉપર સુવાડી રહ્યા છીએ.’ ઘોર અને અસહ્ય વેદનામાં પણ તેમનો સંદેશો માતાજીના મનમાં વીજળીની જેમ વ્યાપી ગયો, તેઓ પૂરેપૂરાં જાગી ગયાં. પૂજ્ય બાપુજી આગળ બોલ્યા, ‘સંસારમાંથી મન ઉઠાવી લો. બધાંની ક્ષમાપના કરી લો. અને પોતાના આત્મામાં ધ્યાન લગાવી દો. કોઈ આખરી ઇચ્છા હોય તો કહો.’ ત્રણ પુત્રીઓ (ત્રણ પુત્રો કરતાં મોટી) અને ત્રણ પુત્રો (ત્રણે ઉંમરમાં નાના જ હતા. મોટો ૧૬ વર્ષનો અને સૌથી નાનો ૧૧ વર્ષનો)નો પરિવાર હતો, પરંતુ તેઓ એવા આત્મલીન થયાં કે બધું જ ભૂલી ગયાં. વિચારીને ધીમા સ્વરે બોલ્યાં, ‘મારા ગળાની કંઠી મોટી પુત્રીને આપી દેજો.’ હાથ જોડીને પાસે ઊભેલા બધા જ પરિવારજનોની ક્ષમાયાચના કરી અને પછી શાંત થઈ ગયાં અને શાંતિમુદ્રામાં જ સંસાર છોડી દીધો.
૩૧ વર્ષનો સાથ, બાળકો, પોતાની ઉંમર ૫૦-૫૧ વર્ષ. એક વર્ષથી દિવસ-રાત જેની સેવામાં હતા તેવી પત્ની ચાલી ગઈ. તેઓ હિમાલય જેવા બની ગયા કંઠમાંથી એક શબ્દ નહીં, આંખોમાં આંસુ નહીં. ઘરમાં કેટલાય સભ્યો ઉપસ્થિત હતા. નાના મોટા બધાં અસ્વસ્થ થયાં, પરંતુ તેઓ અટલ હતા. આગામી ૪૨ વર્ષ સુધી પત્નીને જરૂર યાદ કરતા હશે, પરંતુ તેના અભાવનું દુ:ખ જણાવા દીધું નથી. બાળકોની સફળતા અને સંપન્નતા જોઈને એક-બે વાર કહ્યું હશે કે, ‘તે કેવળ તંગી જોઈને ચાલી ગઈ. સુખ જોઈ શકી નહીં.’
તેઓ આવી વિપરીત સ્થિતિમાં આટલા અચલ કેવી રીતે રહ્યાં? મૃત્યુને કદાચ ઊંડાણથી જાણતા હતાં. આથી કેવળ પત્નીનું જ નહીં પરંતુ કોઈ પણ મૃત્યુ તેમને હલાવી શક્યું નથી.
સને ૧૯૬૫માં પત્નીનો વિયોગ થયો. ૨૦૦૧ સુધી કોઈ અકાળ અકારણ
૧૬