SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધગુણવિવરણ આત્મવીર્યને પ્રકાશમાં લાવી, પ્રમાદને પરાજય કરી, ધર્મ કરવામાં તત્પર થવું, જે કાર્ય આજે કરવાનું હોય તેને આવતી કાલ ઉપર મુલતવી રાખવું નહીં. જ વાર તો ચાર જ, ચાકળ સો મા -- * અવસર વિતા બાત હૈ ક્ષિર ના શ? " જ આ કવિતાને વિચાર કરી જે શુભ કાર્ય કરવાનું હોય તે શીઘ કરવું જોઈએ, કેમકે –“શાંતિ વહુવિધાનિ શુભ કાર્યમાં ઘણાં વિશ્ન આવે છે, માટે શુભ કાર્ય કરવામાં વિલંબ કરવો નહીં. વળી કહ્યું છે કે –“ ઘ વરતા પતિ ધર્મની ગતિ શીવ્ર હોય છે. તેથી ધમકરણ કરવામાં ક્ષણ માત્ર પણ પ્રમાદ કરે નહીં. ભગવાન દેવાધિદેવ મહાવીર સ્વામી મહારાજે પ્રથમ ગણધર શ્રીમદ્ ગૌતમસ્વામી કે જેઓ પ્રાયે અપ્રમત્તપણે વર્તતા હતા, તે પણ તેઓશ્રીને ઉદેશી જેનાગમમાં ફરમાવ્યું છે કે “સમર્થ જોય! મા પમાયણ' –હે ગૌતમ ! સમયમાત્ર પણ તું પ્રમાદ કરીશ નહીં. આ મહાવાકય ઉપરથી પ્રમાદનું બળ કેવું પ્રબળ છે તે સ્પષ્ટ જણાઈ આવે છે, માટે હું સુશ્રાવક છું અથવા સર્વોત્તમ સાધુ છું એ નકામો અહંકાર નહીં કરતાં પ્રમાદ ત્યાગ કરવામાં સતત પ્રયાસ કરે; નહીં તે કંડરીક અને મંવાચાર્ય વિગેરેની પેઠે દુર્ગતિના દુઃખ સહન કરવાને પ્રસંગ આવશે. વળી કહ્યું છે કે – " लोकाचारानुवृत्तिश्च, सर्वत्रौचित्यपालनम् । પ્રવૃત્તિ નેતિ, શાળા પ્રતૈિપ . પ ” શબ્દાર્થ –“લોકાચારનું અનુકરણ કરવું, સર્વ ઠેકાણે ઔચિત્યનું પાલન કરવું અને કઠે પ્રાણ આવે તે પણ નિંદિત કાર્યમાં પ્રવૃતિ ન કરવી. પા” - ભાવાર્થ–“ોજાવાનુવૃત્તિ-લોક એટલે મહાજન તેમને જે આચાર તે લોકાચાર,તેને અનુસરી વર્તન કરવું. કહ્યું છે કે –“મહાગનો ચેન ન સ વંથn મહાન પુરુષ જે માગે ગયા હોય તે માર્ગ કહેવાય છે, અને તે માર્ગ અન્ય પુરુષોને અનુકરણીય છે, માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને વિચાર કરી લોકાચારનું પાલન કરવા પ્રયત્ન કરવો. આ થળે કહેવું જોઈએ કે-કેટલાએક લોક દેશાચાર તથા કુલાચારને લોકાચાર ગણી તે આચાર લેકવિરુદ્ધ કે શાઅવિરુદ્ધ
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy