SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ર૧૦ શ્રાદ્ધગુણવિવરણું જય જણાય છે તેવે સજનશિરોમણિ પુરુષ આ દુનીયામાં એક જ હોય છે. મુશ્કેલીથી ભરી શકાય તેવા ઉદરની પૂર્તિ માટે જયારેવડવાનળ સમુદ્રનું પાન કરે છે ત્યારે મેઘ તે ગ્રીષ્મઋતુથી વ્યાપ્ત થએલ જગતનો સંતાપ નાશ કરવા માટે તત્પર થાય છે. આ બે ઉદાહરણે ક્ષુદ્ર અને મહાન્ પુરુષની ઓળખાણ માટે બસ છે. कए वि अनस्सुवयारजाए कुणंति जे पच्चुवयारजुग्गं । न तेण तुल्लो विमला वि चंदा न चेव भाणू न य देवराया ॥६॥ શબ્દાર્થ –જેઓએ બીજાને અનેક ઉપકાર કર્યા છે તે પણ જે પુરુષે ઉપકાર કરનારને એગ્ય પ્રત્યુપકાર કરે છે અર્થાત બદલે આપે છે. તેની બરાબરી નિર્મળ ચંદ્ર, સૂર્ય અને ઇંદ્ર પણ કરી શકતા નથી. અર્થાત ઉપકાર કરનારા પુરુષે કરતાં પ્રત્યુપકાર કરનારા પુરુષે આ દુનિયામાં ઉત્તમોત્તમ ગણાય છે અને તે ઘણું થડા હોય છે. ૬ ઉપકાર દ્રવ્ય અને ભાવથી બે પ્રકારે હોય છે, તે આ પ્રમાણે છે- અન્ન અને પાણી વિગેરેનું દાન કરવારૂપ હોય તેને દ્રવ્ય ઉપકાર જાણવે અને તે અનિશ્ચિત તેમજ અસ્થિર હોવાથી તેને દ્રવ્ય ઉપકાર કહેવામાં આવે છે. કાંઈ પણ કારણ સિવાય પોતાના આત્માને અને પરને સમ્યગ જ્ઞાન તથા ચારિત્રમાં સ્થાપન કરે તેને તીર્થંકરો ભાવ ઉપકાર કહે છે. જે કોઈ પુરુષસિંહે આ જગતમાં પરોપકાર કરે છે, તેઓના યશરૂ૫ ૫ટહન વનિ સઘળી દિશાઓમાં ફેલાય છે. તેટલા માટે સામર્થ્ય હોય તે મનુષ્ય પરોપકાર કરવામાં ઉદ્યમ કરે જોઈએ, કારણ કે પરોપકાર કરવાથી ધર્મ અને ચંદ્ર જેવી નિર્મળ કીત્તિ દુનિયામાં પ્રસરે છે. જેમ વિક્રમરાજની કીતિ ફેલાઈ હતી, આ ઠેકાણે વિક્રમરાજાનું ઉદાહરણ આ પ્રમાણે છે. " એક વખત વિક્રમરાજા રાજપાટિકાથી પાછા ફરતાં રાજમાર્ગમાં દાણા વીણવામાં તત્યા થએલા એક દરિદ્રને જોઈ બેલ્યા કે જેઓ પોતાની ઉદરપૃત્તિ કરવામાં પણ સમર્થ હોઈ શકતા નથી તેઓનું આ જગતમાં ઉત્પન્ન થવું શા કામનું છે?' આ પ્રમાણે રાજા તરફથી કહેવામાં આવતાં તે દરિદ્રી બેલી ઊડ્યો કેજેઓ સારી રીતે સમર્થ છે છતાં પરેપકાર કરી શકતા નથી તેઓનું જન્મવું પણ આ દુનિયામાં નિરુપયેગી છે.” આ પ્રમાણે દરિદ્રી તરફથી કહેવામાં આવતાં મહારામ વિકમરાજાએ તે ભિક્ષુને સો હસ્તી અને બે ક્રોડ સેનામહેર બક્ષીસ કરી. વળી પરોપકારનો વિચાર કરતાં કોઇએ કહ્યું છે કે '
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy