SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૨-૬, ૭] વકૅક્તિજીવિત ૧૧૫ આ જે વર્ણવિન્યાસવકતા નામે શબ્દાલંકાર છે, એનું કઈ નિયત સ્થાન નથી, એટલે એ આખા વાક્યને વિષય હોય એ રીતે એનું નિરૂપણ કર્યું છે. તેમ છતાં, જે એનું સ્થાન નિયત કરી નવા પ્રકારે એની એજના કરવામાં આવે તે તે કઈ જુદું જ સૌંદર્ય ધારણ કરે છે. (અનુપ્રાસને આ નિયત સ્થાનવાળે પ્રકાર તે યમક) એનું સ્વરૂપ હવે કહે છે – સમાન વર્ણના, જુદા અથવાળા, પ્રસાદયુક્ત, શ્રતિમધુર અને ઔચિત્યમય શબ્દોથી સધાતે આદિ વગેરે નિયત સ્થાને શેભતે આ વર્ણવિન્યાસવકતાને ચમક નામે જુદે પ્રકાર જોવામાં આવે છે, તેનું કઈ જુદું સૌદય ન હોઈ તેનું વધુ વિવેચન કરતા નથી. એક, બે કે વધુ સમાન વર્ણો વચમાં અંતર રાખીને કે અંતર રાખ્યા વગર જાય તેનું નામ યમક. યમકમાં સમાન વર્ણના બે સમુદાયની યેજના થાય છે, તેમ છતાં તે બંનેને અર્થ જુદો જુદો થતો હોય છે. આથી જ વિશ્વનાથે યમકની વ્યાખ્યા એવી કરી છે કે सत्यर्थे पृथगायाः स्वरव्यंजनसंहतेः । ___क्रमेण तेनैवावृत्तिर्यमकं विनिगद्यते ।। એટલે કે સ્વરભંજનના સમુદાયની તે જ ક્રમમાં આવૃત્તિ તે ચમક એ વર્ણ સમુદાયને જે અર્થ થતા હોય તે બંને સ્થળે જ થ જોઈએ. અર્થ ન થતો હોય તે તે કઈ પ્રશ્ન જ નથી. બીજું શું હોવું જોઈએ ? તે કે એ વસમુદાય પ્રસાદગુણયુક્ત એટલે કે મહેનત વગર તરત અર્થ સમજાય એ હવે જોઈએ. અને કૃતિમધુર એટલે કાનને ગમે એવે, કઠોર વણે વગરનો હવે જોઈએ. વળી, એ ઔચિત્યમય એટલે કે વસ્તુના સ્વભાવને અર્થાત્ કાવ્યવિષયને બિલકુલ અનુરૂપ હોવું જોઈએ.
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy