SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યવહાર શુદ્ધિ ]. ૧૩ વળગી રહેલો અને પરધનને સર્વ અનર્થ સમાન ગણનારે લેવાથી પાછો વળ્યો. યશશ્રેણિ પણ તેની સાથે પાછા વળ્યો. પણ “પડેલી વસ્તુ લેવામાં બહુ દેષ નથી.” એમ વિચારી 1 તેણે દેવ શ્રેષિની નજર ચૂકાવીને કુંડલ ઉપાડયું. અને પાછું મનમાં વિચાર્યું કે, “એવા, (દેવશ્રેષી) હારા મિત્રને ધન્ય છે. કારણ કે, એનામાં એવી અલૌકિક નિર્લોભતા વસે છે. તે પણ યુક્તિથી હું એને આ કુંડલમાં ભાગિકાર કરીશ.”એમ વિચારી યશશ્રેષિએ : કુંડલ છુપું રાખ્યું, અને બીજે શહેર જઈ તે કુંડલના દ્રવ્યથી ઘણું કરિયાણું ખરીદ્યું. અનુક્રમે અને શ્રેષ્ઠિ પિતાને ગામે આવ્યા. લાવેલા કરિયાણાની વહેંચણી કરવાનો અવસર આવ્યો, ત્યારે ઘણું કરિયાણું જોઈ દેવશ્રેષ્ટિએ ઘણા આગ્રહથી તેનું કારણ પૂછ્યું. યશશ્રેષિએ પણ જે વાત હતી તે કડી. પછી દેવશ્રેષિએ કહ્યું, “અન્યાયથી મેળવેલું એ ધન કેઈ! પણ રીતે સંઘરવા યોગ્ય નથી. કેમકે, જેમ ખાટી કાંજી અંદર પડે તે દુધને નાશ થાય છે, તેમ એ ધન લીધાથી પિતાનું ન્યાયથી ઉપજેલું ધન પણ એની સાથે અવશ્ય : નાશ પામે છે” એમ કહી દેવશ્રેષ્ટિએ જે સર્વ અધિક કરિયાણું હતું તે જૂદું કરી યશશ્રેષ્ટિને આપ્યું. “પિતાની મેળે ચાલ્યું આવેલું ધન કેણ મૂકે !” એવા લોભથી યશશ્રેષ્ટિ તે સર્વ કરિયાણું પોતાની વખારે લઈ ગયો. તેજ દિવસની રાત્રીએ ચેરએ યશશ્રેષિની વખારે ધાડ પાડી સર્વ કરિયાણું લઈ ગયા. પ્રભાત કાળમાં કરિયાણુના ગ્રાહક ઘણા. આવ્યા. તેથી બમણું તથા તેથી પણ વધારે મૂલ્ય મળવાથી દેવશ્રેષ્ઠિને બહુ લાભ થશે પછી યશશ્રેષ્ટિ પણ પસ્તાવો થવાથી સુશ્રાવક થયે, અને શુદ્ધ વ્યવહારથી ધન ઉપાજીને. સુખ પામે. આ રીતે ન્યાયથી તથા અન્યાયથી ધન ઉપાર્જન કરવા ઉપર બે મિત્રોની, કથા કહી છે. આ વિષય ઉપર લૌકિક શાસામાં કહેલી એક વાર્તા નીચે પ્રમાણે છે. ન્યાયાધિન ઉપર સેમરાજાની કથા – ચંપાનગરીમાં સોમ નામે રાજા હતો. તેણે “સુપર્વને વિષે દાન આપવા ગ્ય સારું દ્રવ્ય કર્યું ? અને દાન લેવાને સુપાત્ર કેણ ?” એવું મંત્રીને પૂછયું. મંત્રીએ કહ્યું. આ નગરમાં એક સુપાત્ર બ્રાહ્મણ છે, પણ ન્યાયથી ઉપાર્જન કરેલા શુભ દ્રવ્યને યોગ મળ સર્વે લોકને અને વિશેષે કરી રાજાને દુર્લભ છે. કેમકે–જેમ સારા બીજનો અને સારા ક્ષેત્રને વેગ મળ કઠણ છે, તેમ શુદ્ધ મનને દાતા અને એગ્ય ગુણને ધરાવનાર પાત્ર એ બંનેને વેગ મળવો પણ દુર્લભ છે. તે સાંભળી સોમ રાજાએ પવ ઉપર પાત્રે દાન દેવાના હેતુથી કેઈ ન જાણે તેવી રીતે વેષ બદલીને રાત્રીને સમયે વણિક લોકોની દુકાને જઈ સાધારણ વણિક પુત્રને કરવા ગ્ય કામ આઠ દિવસ સુધી કર્યું. અને તેના બદલામાં આઠ દ્રમ્પ ઉપાર્જન કર્યા. પર્વ આવેથી સર્વ બ્રાહ્મણને નિમંત્રણ કરી સુપાત્ર બ્રાહ્મણને બોલાવવા સારૂ મંત્રીને મોકલ્યો. મંત્રીએ તે બ્રાહ્મણને બોલાવતાં તેણે કહ્યું કે, “જે બ્રાહ્મણ લોભથી. મોહમાં સપડાઈને રાજા પાસેથી દાન લે, તે તરિક
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy