SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ [ શ્રાદ્ધવિમિ "" અડફેટમાં આવ્યા. તેથી વાછરડું મરણ પામ્યું. ત્યારે ગાય શબ્દ કરવા પૂર્યાંક નેત્રમાંથી આંસુ કાઢવા લાગી. કાઇએ ગાયને કહ્યું કે, “તું રાજદ્વારે જઇને ન્યાય માગ.” ત્યારે તેણે ત્યાં જઈ પેાતાના શિંગડાની અણીથી ન્યાયઘંટા વગાડી. યશેાવમાં રાજા તે સમયે ભાજન કરવા બેઠા હતા, તેણે ઘંટાના શબ્દ સાંભળીને પૂછ્યું કે, “ ઘંટા કાણુ વગાડે છે ?” સેવકીએ ત્યાં જઇ જોઇને કહ્યું કે, “હે દેવ ! કાઈ નથી. આપ લેાજન કરો. રાજાએ કહ્યું. “કાણે વગાડી તેના નિણૂય થયા વિના હુંશી રીતે હું ભેાજન કરૂં ?” પછી તુરત ભાજનના થાળ પડતા મૂકીને રાજા બારણે આવ્યા, અને બીજી કોઈ નજરે પડયું નહીં. તેથી તેણે ગાયને પૂછ્યું કે, “તને કેાઇએ ઉપદ્રવ કર્યો કે શું? ઉપદ્રવ કરનાર કાણુ છે ? તે મને દેખાડ. ” રાજાએ એમ કહ્યું, ત્યારે ગાય આગળ ચાલી, અને રાજા પાછળ જવા લાગ્યા. ગાયે મરણ પામેલું વાછરડું દેખાડયું. રાજાએ કહ્યું. “ એ વાછરડા ઉપરથી જે ઘેાડીને કૂદાવતા ગયા, તેણે મારી આગળ હાજર થવું." જ્યારે કાઈ કાંઈ મેલ્યા નહી, ત્યારે રાજાએ પાછું કહ્યું કે જ્યારે અપરાધી હાજર થશે, ત્યારે જ હું ભેાજન કરીશ.” રાજાને લાંધણ થઈ ત્યારે સવારે રાજકુમારે કહ્યું. “ હું તાત ! હું અપરાધી છે. મને ચથાયેાગ્ય દંડ કરા. ” પછી રાજાએ સ્મૃતિના જાગુ પુરૂષોને પુછ્યું કે, “ એના શું દંડ કરવા. ” જાણ પુરૂષોએ કહ્યું. “ હું રાજન્ ! રાજ્યને ચેાગ્ય એવા આ તમારા એકજ પુત્ર છે. માટે એને શું દ'ડ કરીએ ?” રાજાએ કહ્યું “કાનું રાજય અને કેના પુત્ર? હું તે ન્યાયનેજ સર્વ વસ્તુ કરતાં ઉત્તમ ગણું છું. કેમકે—, “૧ દુર્જનનેા દંડ કરવા, ૨ સજ્જનની પૂજા કરવી, ૩ ન્યાયથી ભંડારની વૃદ્ધિ કરવી, ૪ પક્ષપાત ન રાખવા. અને ૫ શત્રુ થકી રાજ્યની રક્ષા કરવી. એજ રાજાઓને નિત્ય કરવા કરવા ચેાગ્ય પંચ મહા યજ્ઞ કહ્યા છે.’સામનીતિમાં પણ કહ્યું છે કે—“રાજાએ પાતાના પુત્રને પણ અપરાધના અનુસારથી દંડ કરવા.” માટે જે એને ચેાગ્ય દંડ હોય તે કહેા, રાજાએ એમ કહ્યુ, તે પણ તે તે વિદ્વાન લેાકો જ્યારે કાંઈ ખેલ્યા નહીં. ત્યારે “ જે જીવ બીજા જીવને જે રીતે અને જે દુઃખ દે, તે જીવને તે દુઃખના બદલામાં તે રીતે તેજ દુઃખ મળવું જોઈએ. ” તથા “કોઈ અપકાર કરે તા તેના અવશ્ય પાળે બદલે વાળવા જોઈ એ ” વગેરે નીતિશાસ્ત્રના વચન ઉપરથી રાજાએ પેાતેજ પુત્રને કયા દંડ આપવા? તેના નિણૅય કર્યાં. પછી ઘેાડી મંગાવીને પુત્રને કહ્યું. “ તું અહિં માર્ગમાં સૂઈ રહે. ” પુત્ર વિનીત હતા તેથી પિતાનું વચન માની માગમાં સૂઇ રહ્યો. રાજાએ પેાતાના સેવકાને કહ્યું “ એના ઉપરથી ઢાડતી ઘેાડી લઇ જાઓ. ” રાજાનું આ વચન કેાઈ એ માન્યું નહીં. અને સવે લાકોએ તેને વાર્યાં, તે પણ રાજા પાતે ઘેાડી ઉપર અવાર થયા, અને ઘેાડીને ઢોડાવીને જેટલામાં પુત્રના શરીર ઉપર લઇ જાય છે, એટલામાં રાજાને ગાય કે વાછરડું કાંઇ ઢેખાયુ' નહિ અને અધિષ્ઠાચિકા દેવીએ પ્રકટ થઈ પુષ્પવૃષ્ટિ કરીને કહ્યુ કે, “ હે રાજન્ ! મેં હારી પરીક્ષા કરી છે. માણુ કરતાં પણ વલ્લભ એવા પેાતાના પુત્ર કરતાં પણ તને ન્યાય પ્રિય
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy