SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રાદ્ધવિધિ રાજપર રાજા પુત્રના જન્મ સાંભળી ઘણેાજ હર્ષ પામ્યા તેણે પુત્રને જન્માત્સવ કર્યાં, અને પુત્રનું ધમ કરવાથી પ્રાપ્ત થયેલ હેાવાથી ધર્મદત્ત એવું નામ રાખ્યું. એક દિવસે ઉત્સવ પૂર્વક માનંદથી તે પુત્રને જિનમંદિરે લઈ જઈ અરિહંતની પ્રતિમાને નમસ્કાર કરાવી ભગવાન્ આગળ નમાડ્યો. ત્યારે સંતુષ્ટ થયેલી પ્રીતિમતી રાણી પેાતાની સખીને કહેવા લાગી કે, “ હે સખી ! તે ચતુર હ ંસે ચિત્તમાં ચમત્કાર ઉત્પન્ન કરે એવા ઘણાજ ઉપકાર મ્હારા ઉપર કર્યાં છે. તે હંસના વચન પ્રમાણે ધ કરવાથી નિધન પુરૂષ જેમ દૈવયેાગથી પાતાથી મેળવી ન શકાય એવા નિધિ પામે, તેમ મ્હારાથી મેળવી ન શકાય એવું જિનધમ રૂપ એક રત્ન અને ખીજું આ પુત્રરત્ન હું પામી.” પ્રીતિમતી આમ બેલે છે, એટલામાં માંદા માણસની પેઠે તે બાળક એકાએક આવેલી મૂર્છાથી તત્કાળ બેભાન થઇ ગયું, અને તેની પાછળ તેની માતા પણ આકરા દુઃખથી મૂર્છા ખાઈ બેભાન થઈ ગઇ. તુરત પરિવારના તથા આસપાસના લેાકાએ ‘ઈષ્ટદોષ અથવા કોઈ દેવતાની પીડા વગેરે હશે,' એમ મનમાં કલ્પના કરી ઘણા ખેદથી ઉંચે સ્વરે પેાકાર કર્યો કે, “હાય હાય ! માતા અને પુત્ર એ બન્નેને એકદમ આ શું થયું?” ક્ષણમાત્રમાં રાજા, પ્રધાન પ્રમુખ લાકોએ ત્યાં આવી અને માતા પુત્રને શીતળ ઉપચાર કર્યાં. તેથી ઘેાડીવારમાંજ માળક અને તેની પાછળ તેની માતા પણ સચેતન થઈ. ત્યારબાદ રાજપુત્રને ઉત્સવ સહિત રાજ્યમહેલે લઈ ગયા. તે દિવસે રાજપુત્રની તખીયત સારી રહી. તેણે વારંવાર પાન વગેરે કર્યું. પણ ખીજે દિવસે શરીરની પ્રકૃતિ સારી છતાં અરૂચિવાળા માણસની માફક તે બાળકે દૂધ પીધું નહિ, અને ચવિહાર પચ્ચક્ખાણુ કરનારની પેઠે ઔષધ વગેરે પશુ ન લીધું. તેથી તે બાળકના માતાપિતા, મંત્રી, નગરના લેાકેા એ સવ ઘણા દુ:ખી થયા. અને શું કરવું ? તે કાઇને સૂઝયું નહિ. ત્યારે જાણે બાળકના પુણ્યથી ખેંચાયેલાજ હાયની ! એવા એક ચારણ મુનિરાજ મધ્યાહ્ન સમયે આકાશમાંથી ઉતર્યાં. પ્રથમ પરમ પ્રીતિથી બાળકે અને તે પછી રાજા આદિ લેાકેાએ મુનિરાજને વંદના કરી. રાજાએ સૌ પ્રથમ બાળકે દૂધ વગેરે ત્યાગ કરવાનુ કારણ પૂછ્યું, ત્યારે મુનિરાજે સ્પષ્ટ કહ્યું કે, “ હે રાજન્ ! આ બાળકને રાગાદિકની અથવા બીજી કાંઈ પણ પીડા નથી. એને તમે જિનપ્રતિમાના દર્શન કરાવેા. એટલે એ હમણાં દૂધપાન વગેરે કરશે. ” મુનિરાજના વચન પ્રમાણે તે બાળકને જિનમંદિરે લઈ જઈ દન, નમસ્કાર આદિ કરાવ્યું. ત્યારે તે પૂર્વની માફક દૂધ પીવા લાગ્યા, અને તેથી સ લેકે આશ્ચર્ય અને સાષ પામ્યા. ફ્રીથી રાજાએ મુનિરાજને પૂછ્યું કે, “ આ શું ચમત્કાર ? ” મુનિરાજે કહ્યું. “ હે રાજન્ ! તમને એ વાત એના પૂર્વભવથી માંડીને કહું " તે સાંભળે. "" પુરિકા નામે નગરીમાં ીન જીવ ઉપર દયા અને શત્રુ ઉપર ક્રૂરષ્ટિ રાખનારા કૃપ નામે રાજા હતા બુદ્ધિથી બૃહસ્પતિની ખરાખરી કરી શકે એવા તે રાજાને ચિત્રમતિ નામે મત્રી હતા; અને દ્રવ્યથી કુબેરની ખરાખરી કરનારો વસુમિત્ર નામે શ્રેષ્ઠી તે મત્રીના
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy