SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. [શ્રાદ્ધવિધિ '' એકને કાજે મિન્હે ખર્ચ, ત્રણે સર્ચ ચારે વારે ૫ પાંચે પાળી છએ ટાળી, આપે પાર ઉતારે ॥૫॥ જાગ॰ ચાગિનીની વાણી સાંભળી મૃગધ્વજ રાજા દૃઢ વૈરાગી થયા. રાણી અને શુકરાજ પુત્રને માલાવી ત્યાંને ત્યાં પેાતાનો દીક્ષા લેવાનો નિર્ણય જાહેર કર્યાં. મંત્રી વિગેરેએ આગ્રહપૂર્વક નગરમાં ઢીક્ષા લેવાનું જણાવી રાજાને નગરમાં લઈ ગયા. રાજાએ તુત શુકરાજાના રાજા તરીકે અભિષેક કર્યો અને સવારે ઢીક્ષા માટેની તૈયારી કરી. રાત્રિએ રાજાની ધ્યાનપર ંપરા વૃદ્ઘિગત થઈ અને ધર્મધ્યાન શધ્યિાને ચડતાં ચડતાં ગૃહસ્થપણામાંજ મૃગધ્વજને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. દેવદુદુભિગઈ અને રાજાને દેવતાએ વેષ આપ્યા. ત્યારબાદ મૃગધ્વજ કેવળીભગવાને દેશના આપી અને તે દેશનાના અતે કમલમાલારાણી, હંસરાજ અને ચદ્રાંકકુમારે દીક્ષા લીધી. શુકરાજે સમ્યક્ત્વ પૂર્વક ખારવ્રત અંગીકાર કર્યાં અને કેવળીભગવાન મૃધ્વજ રાજર્ષિ જગત્ત્ને પવિત્ર કરતા વિચરવા લાગ્યા. કાઈના પણ કાને ચદ્રશેખર કે ચંદ્રાવતીનું વૃત્તાન્ત તેમણે જણાવ્યું નહિ. મૃગધ્વજ રાજર્ષિની પાસે ચદ્રાંકકુમારે દીક્ષા લીધેલી જાણી ચંદ્રશેખર સમજી ગયા કે હવે હું અદશ્ય રહી શકીશ નહિ. તેણે ફરી ફરી દેવીની આરાધના કરી શુકરાજનું રાજ્ય મેળવવાનું વરદાન માગ્યું. દેવીએ કહ્યું કે ‘ શુકરાજ દૃઢ સમ્યક્ત્વી છે તેનું રાજ્ય અપાવવાની મારામાં શક્તિ નથી ખાકી છળથી તને ઠીક લાગે તે કર, ' એક પ્રસંગે શુકરાજ તેની બે સ્રીઓ સહિત સિદ્ધાચળ તીર્થની યાત્રાએ જવા ગુપચુપ નીકળ્યેા. ચદ્રાવતીને આની ખબર પડી અને તેણે ચંદ્રશેખરને તે વાત જણાવી. ચંદ્રશેખર શુકરાજનુ રૂપ કરી રાજ્ય ચલાવવા લાગ્યા, લાંકા તેને શુકરાજ સમજવા લાગ્યા. એક રાત્રે કૃત્રિમ શુકરાજ બુમાબુમ કરી કહેવા લાગ્યા કે ‘અરે આ વિદ્યાધર મારી સ્ત્રી અને વિદ્યાએ લઈ જાય છે માટે પકડા પકડા.' મંત્રી વિગેરે દાડી આવ્યા રાજાને શાંત પાડયા અને કહ્યું કે ‘ વિદ્યા અને ભલે ગઈ પણ આપ તા કુશળ છે ને !' રાજા કહે ‘હા! કુશળ છું પણ વિધા અને સ્રીએ વિના શું કરૂં?' મંત્રીએ કહ્યું ‘આપ કુશળ તા સર્વ કુશળ.' આમ કપટથી રાજકુળને ઠગી ચંદ્રાવતી સાથે રહેવા લાગ્યા. શુકરાજ વિમળાચળ તીર્થની યાત્રા કરી સસરાને ઘેર ગયા ત્યાં કેટલાક ઢીવસ રહી પાતાના નગરના ઉદ્યાનમાં આવ્યા ત્યારે ગેાખે બેઠેલા બનાવટી શુકરાજે બુમા પાડી ‘અરે મંત્રી જે વિદ્યાધર મારી બે સ્રીએ અને વિદ્યાએ લઇ ગયા હતા તે ફરી મને ઉપદ્રવ કરવા આન્યા છે માટે તેને સમજાવી પાછે વાળ', મંત્રી ખરા શુકરાજ પાસે ગયા અને નમસ્કાર કરી કહેવા લાગ્યા કે ‘વિદ્યા અને શ્રી
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy