SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ प्रास्ताविकम् માટે શાંત ચિત્તવાળા યોગીઓને ક્રિયા ઉપયોગી બને છે. ૨૦ आत्मप्रवृत्तावतिजागरुकः परप्रवृत्तौ बधिरान्धमूकः । सदा चिदानन्दपदोपयोगी लोकोत्तरं साम्यमुपैति योगी ।। (श्लोक ४/२) આત્માની પ્રવૃત્તિમાં અત્યંત જાગ્રત : પા૨કી પ્રવૃત્તિમાં અંધ-મૂંગા ને બહે૨ા જેવા, સદા ચિદાનંદ પદમાં ઉપયોગવાળા યોગી લોકોત્ત૨ સમતાને પ્રાપ્ત કરે છે. * શ્રુતરક્ષા એક મહત્ત્વનું કર્તવ્ય જૂના કાળમાં આગાદિ શ્રુતવા૨સો મૌખિક રીતે જ અપાતો. પણ કાળક્રમે ઘટતી જતી સ્મૃતિ-તિક્તિને ધ્યાનમાં લઇને શ્રી દેર્વાણ ક્ષમાશ્રમણના વખતથી શ્રુતનું ગ્રન્થથીક૨ણ શરૂ થયું. લહિયાઓ દ્વા૨ા ટકાઉ તાડપત્રો ઉ૫૨ આ કાર્ય થતું. શ્રુતલેખન એ શ્રુતર્નાક્તનું એક મહત્ત્વનું પાસુ બની ગયું. ‘પુત્થવળિ’ ને શ્રાવકના કર્તવ્યરૂપે નિર્દિષ્ટ કરવામાં આવ્યું. સ્વયં શ્રી હરિભદ્રસૂરિ મ.એ સ્વÁચત શ્રી યોગષ્ટિસમુચ્ચય ગ્રન્થમાં યોગબીજો જણાવેલા છે, જેમાં શ્રુતલેખનનો પણ સમાવેશ છે. આજે પણ 300-૪૦૦ વર્ષો જૂની હસ્તપ્રતો (મહોપાધ્યાયજી લિખત હસ્તપ્રતો વગેરે) મળે છે. જેસલમે૨-પાટણ-ખંભાત વગેરે સ્થળોએ આના અલગ વિશાળ જ્ઞાનભંડારો છે. પછી આવ્યો યંત્રયુગ.... પ્રેસયુગ... હિયા પાસે જેટલા સમયમાં એક પ્રત તૈયા૨ થાય તેના કરતા અલ્પતમ સમયમાં જ હજા૨ો પ્રતો છપાઈને તૈયા૨ થઈ જાય ! અધ્યયનાર્થીઓને બધા ગ્રન્થો બધે સુલભ બની શકે. શ્રુતરક્ષાના ઉદ્દેશથી આજે કદાચ આને એક અનવાર્ય નિષ્ટ માની લઈએ તો પણ જર્જરિત બની ગયેલી લેખનકળાને પુનર્જીવિત કરવાની દિશામાં પણ પ્રયાસો હાથ ધ૨ાય એ ખૂબ જરૂરી છે. કા૨ણ કે સગવડતાવાદી વિજ્ઞાનનો એક મોટો અભિશાપ છે કે, તે ઘણી બધી કળાઓનો નાશ કરી દે છે. પ્રેસયુગ એ શ્રુતલેખન અને ઉહયાઓ માટે મૃત્યુઘંટ પૂ૨વા૨ ન થાય એ જોવું એક મહત્ત્વનું કર્તવ્ય બની રહે છે. હા, હસ્તપ્રતો અને છપાયેલા ગ્રન્થોનાં આયખામાં ય ઘણું અંતર છે. હસ્તપ્રતો સૈકાઓમાં જીવે છે, જ્યારે છપાયેલા ગ્રન્થો દાયકાઓમાં ! આવ૨દાનો આ તફાવત પણ શ્રુત૨ક્ષાર્થે હસ્તલેખનને ફ૨ી ધબકતું ક૨વા પ્રે૨ણાદાયી બની રહેશે. * વૃત્તિ અને વૃત્તિકા૨ અંગે કંઈક અધ્યાત્મ ઉપનિષદ્ ગ્રન્થ ઉ૫૨ પ્રાચીન વૃત્તિ કોઈ ઉપલબ્ધ નથી. ગુજ૨ાતીમાં કોઈ વિસ્તૃત વિવેચન પણ ઉપલબ્ધ નથી. નર્વાíર્મત ટીકામાં અન્યાન્ય સંદર્ભ ગ્રન્થોના ભ૨પૂ૨ શાસ્ત્રપાઠો ટાંકવામાં આવ્યા છે. આવી વૃત્તિને આપણે વૃત્તિકા૨ની
SR No.023420
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages188
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy