________________
૩૦૦
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન દેવદત્તને ગાય આપવી અને વિષ્ણુમિત્રને કામળી આપવી” આ પ્રમાણે કહેવાતા '
વિષ્ણુમિત્રને ગાય પણ આપવી” આવો અર્થ ઉપસ્થિત નથી થતો. તેમ પ્રસ્તુતમાં પણ પટિ ૨.૪.૬૮'આવું અધિકારાર્થક સૂત્રન બનાવતા ‘નવો પુટ ૨.૪.૬૨' આમ વિધિસૂત્ર જ બનાવવામાં આવે તો ઋવિત: ૨.૪.૭૦' વિગેરે સૂત્રોમાં તો પુષ્ટિ શબ્દની ઉપસ્થિતિ થઈ જાય. પણ પછી ‘મનડુ: સૌ ૨.૪.૭૨' સૂત્રમાં નિમિત્તવાચી શુટિ શબ્દને સદશ નિમિત્તવાચી સો (તિ પ્રત્યય) પદનો નિર્દેશ કરવામાં આવતા પૂર્વના સૂત્રોથી ચાલી આવતી પુટિ પદની અનુવૃત્તિ અટકી જાય. તેથી ‘મનડુદ: સૌ ૨.૪.૭૨' સૂત્ર પછીના પુંસી. પુમન્ ૨.૪.૭૨' વિગેરે સૂત્રોમાં પુનઃ પુટિ પદની ઉપસ્થિતિ ન થઈ શકતા આકાંક્ષાવશે પૂર્વના ‘મનડુદ: સૌ ૨.૪.૭૨' સૂત્રમાંથી સૌ પદની જ ઉપસ્થિતિ થવાની આપત્તિ આવે. આથી અધિકારાર્થક આ સૂત્રની રચના કરવી જરૂરી છે કે જેથી આ સૂત્ર પછીના જે સૂત્રોમાં નિમિત્તવિશેષનું ઉપાદાન ન કર્યું હોય ત્યાં બધે નિમિત્તવાચી પુષ્ટિ પદની ઉપસ્થિતિ થઇ શકે.
શંકા - સારૂં, તમે અધિકારાર્થક આ સૂત્રની રચના ભલે કરો. પણ આ સૂત્રથી ચાલતો અધિકાર ક્યાં સુધી (કેટલા સૂત્રો સુધી) ચાલે છે તે ખબર પડતી નથી. તેથી તમારે પુટ ૨.૪.૬૮' આ પ્રસ્તુત સૂત્રમાં તેમજ અધિકારાર્થક અનસૂત્રોમાં પણ કોક અનુબંધ જોડવો જોઇએ.
સમાધાન - ભલે, તો જે ક્રમાંકનો અનુબંધ હોય તેટલા સૂત્રો સુધી અધિકાર ચાલશે આ પ્રમાણે કહી દેવું જોઇએ. અર્થાત્ મૌત્તા. સ્વર: ૨.૨.૪' સૂત્રમાં દર્શાવેલા ચૌદ સ્વરો અને ‘ાગ્નિનમ્ ..૨૦' સૂત્રમાં દર્શાવેલા તેત્રીસ વ્યંજનો, આમ કુલ મળીને સુડતાળીસ વર્ગો પૈકીના જે કમાંકનો વર્ણ) અધિકારર્થક સૂત્રમાં અનુબંધરૂપે દર્શાવ્યો હોય તેટલા સૂત્રો સુધી અધિકારાર્થક સૂત્રગત શબ્દની અનુવૃત્તિ ચાલશે એમ સમજવું.
શંકા - પણ જ્યાં વર્ષોની સંખ્યા કરતા અધિકાર વધારે સૂત્રોમાં ચલાવવો હોય ત્યાં શું કરવું?
સમાધાન - તેવું હોય ત્યાં અધિકારાર્થક સૂત્રમાં પ્રવચન કરી દેવું જોઇએ. જેમકે કર્તરિ ધ.. સૂરસ્થ શર્તરિ શબ્દનો અધિકાર ‘ગë વૃદ્ ૫.૪.૨૭' સૂત્ર સુધી ચલાવવો છે, તો ‘ર્તરિ ૧.૭.૨' સૂત્રમાં ‘ગાશિગાશી: ૫.૪.૨૮' સૂત્રગત મશિન્ શબ્દને લઈને ‘પ્રશિપ:'પદ મૂકી દેવું જોઇએ કે જેથી ખબર પડે કે કર્તરિ શબ્દનો અધિકાર શિષ્યાશી: ૫.૪.૨૮' સૂત્ર કરતા પૂર્વનામર્દેતૃ ૫.૪.૩૭' સૂત્ર સુધી ચલાવવાનો છે.
(A)
અધિકારાર્થક સૂત્રમાં જો અનુબંધ દર્શાવ્યો હોય તો વર્ણ સમુદાયમાં રૂનો ક્રમાંક ત્રીજો હોવાથી અધિકારાર્થક સૂત્રસ્થ વિવક્ષિત શબ્દની અનુવૃત્તિ ત્રણ સૂત્ર સુધી ચાલે. જો અનુબંધ દર્શાવ્યો હોય તો નો ક્રમાંક પંદરમો હોવાથી અનુવૃત્તિ પંદર સૂત્રો સુધી ચાલે આમ સમજવું.