________________
૨૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
જ છે. (૬) સ્ટાન્નાસ્ત્યવત્તવ્યમેવ. વસ્તુમાં નિષેધની અને યુગપત્ વિધિ-નિષેધની કલ્પના કરવામાં આવે તો વસ્તુ કથંચિત્ નથી જ અને કથંચિત્ અવકતવ્ય જ છે. (૭) સ્વાસ્તિનાસ્ત્યવત્તવ્યમેવ. વસ્તુમાં ક્રમશઃ વિધિ, નિષેધ અને યુગપત્ વિધિ-નિષેધની કલ્પના કરવામાં આવે તો વસ્તુ કથંચિત્ છે જ, કથંચિત્ નથી જ અને કથંચિત્ અવકતવ્ય જ છે.
જીવાદિ દરેક પદાર્થમાં અનંતા પર્યાયો (ધર્મો) રહેલા છે. તે દરેક પર્યાયને લઇને (વિધિ-નિષેધ દ્વારા) સપ્તભંગી બની શકે છે. માટે દરેક પદાર્થના વિષયમાં અનંતી સમભંગીઓ બની શકશે. આથી જ ‘પ્રતિપર્યાવ સપ્તમી’(વસ્તુના દરેક પર્યાયને લઇને સપ્તભંગી થાય છે) એવું શાસ્ત્રવચન છે.
શંકા ઃ- જો વસ્તુના દરેક પર્યાયને લઇને સપ્તભંગી થાય છે, તો ઘટાદિ પદાર્થના અસ્તિત્ત્વના વિષયમાં સંયિત માનસવાળી વ્યકિતને ‘અસ્તિત્ત્વ’ પર્યાયનું પ્રત્યાયન કરાવવા માટે તમારે સમભંગીનો પ્રયોગ કરવો જોઇએ. તેથી જેમ સ્વાવÒવ પદનો પ્રયોગ કરો છો, તેમ સ્વાત્રાસ્યેવ ઇત્યાદિ છ પદોનો પ્રયોગ પણ કરવો જોઇએ.
સમાધાન :- એવું નથી. સ્વાવÒવ વાક્યગત સ્વાત્ (કથંચિત્) શબ્દથી શેષ છ પદોનું ઘોતન થાય જ છે. મતલબ કે જ્યારે કો’ક વ્યક્તિને કોઇક વસ્તુના વિધિ (અસ્તિત્ત્વ) વિષયક ઉઠેલા વિવાદને દૂર કરવા સ્યાદ્વાદી વ્યક્તિ સ્વાવÒવ એવો વિધિનો વિકલ્પ ઉચ્ચારે છે, ત્યારે તે વસ્તુના નિષેધ (નાસ્તિત્ત્વ) વિગેરે કરનારા બાકીના છએ વિકલ્પો સ્થાત્ શબ્દથી જણાઇ જવાના કારણે તે વિકલ્પોનો પુનઃ પ્રયોગ કરવો ઉચિત નથી. કારણ એ છ વિકલ્પોના વિષયમાં વિવાદીને કોઇ શંકા નથી. જો એ છ વિકલ્પોના વિષયમાં પણ વિવાદ હોય તો ક્રમશઃ યાત્રાત્યેવ ઇત્યાદિ છ વિકલ્પોનો પ્રયોગ કરવામાં પણ કોઇ દોષ નથી.
ન
જેથી ‘‘જીવાદિ વસ્તુના વિષયમાં અસ્તિત્ત્વ વિગેરે ધર્મ વિષયક પ્રશ્નના સમાધાન રૂપે, પ્રત્યક્ષ અને અનુમાનપ્રમાણને વિરોધ ન આવે એ રીતે, પૃથક્ રૂપે કે સમુદિત રૂપે વિધિ-નિષેધને લઇને સાત પ્રકારે કરાતી કલ્પના (વચન વિન્યાસ) એ સમભંગી છે.’’ આવું શાસ્રવચન છે, તેથી દરેક સ્થળે અર્થવાળું વાક્ય સ્થાત્ થી લાંછિત અને ડ્વ સહિત માનવું. જેમકે ‘સમ્પર્શન-જ્ઞાન-ચરિત્રાળિ મોક્ષમાર્ગ:' (તત્ત્વાર્થસૂત્ર, અ૦૧, સૂ॰૧) વિગેરે શાસ્ત્રવાક્યોમાં કે ઘટનાનય ઇત્યાદિ લૌકિકવાક્યોમાં વક્તાના અભિપ્રાયવશ કે અર્થના સામર્થ્યથી સ્થાત્ અને વ્ કાર જણાતા હોવાથી તેમના પ્રયોગ નથી કરાતા. તેથી સ્થાત્ કે ત્ત્વ કાર રહિત શાસ્રવાક્યો કે લૌકિકવાક્યોના પ્રામાણ્ય બાબતે વિરોધ પણ નથી.
“સરેવ સર્વ વો નેછેત્ સ્વરૂપવિચતુષ્ટવાત્''I (આસમીમાંસા - શ્લો૦ ) (અર્થ = સ્વદ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવરૂપ ચતુષ્ટયની અપેક્ષાએ ચેતન કે અચેતન બધી વસ્તુ સત્ રૂપ જ છે, એવું કોણ નહીં માને ? સર્વથા