SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધોની વિચારણા માટેના ૮ ધારો, ૯ તારો અને ૧૫ દ્વારા વૈશેષિકો રૂપ વગેરે પરિણામોને દ્રવ્યથી અત્યંત જુદા માને છે. દ્રવ્યાસ્તિકનયની અપેક્ષાએ આત્મપરિણામો હંમેશ રહેલા છે. પર્યાયાસ્તિકનયની અપેક્ષાએ આત્મપરિણામો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. સિદ્ધોના આ પરિણામો અસ્તિ-નાસ્તિ, નિત્ય-અનિત્ય, વક્તવ્ય-અવક્તવ્ય વગેરે બે-બે ભેટવાળા છે.” () આઠ | નવ અનુયોગકારો વડે સિદ્ધોની વિચારણા - સિદ્ધોના બે ભેદ છે - અનંતરસિદ્ધ અને પરંપરસિદ્ધ. અનંતરસિદ્ધ - સિદ્ધપણાના પહેલા સમયે રહેલા સિદ્ધો તે અનંતરસિદ્ધ. પરંપરસિદ્ધ - વિવક્ષિત સિદ્ધપણાના પહેલા સમયની પૂર્વે બીજા વગેરે સમયોમાં અનંત ભૂતકાળ સુધી થયેલા સિદ્ધો તે પરંપરસિદ્ધ. અનંતરસિદ્ધોને ૮ અનુયોગદ્વારો વડે ૧૫ લારોમાં વિચારવાના છે. પરંપરસિદ્ધોને ૯ અનુયોગદ્વારો વડે ૧૫ કારોમાં વિચારવાના છે. • ૮ અનુયોગ દ્વારા આ પ્રમાણે છે – ૧) સત્પદપ્રરૂપણા ૨) દ્રવ્યપ્રમાણ ૩) ક્ષેત્ર ૪) સ્પર્શના ૫) કાળ ૬) અંતર ૭) ભાવ ૮) અલ્પબદુત્વ ૦ ૯ અનુયોગદ્વારો આ પ્રમાણે છે - ઉપરના ૮ + (૯) સંનિકર્ષ. ૧૫ દ્વારા આ પ્રમાણે છે – ૧) ક્ષેત્ર ૨) કાળ ૩) ગતિ ૪) વેદ ૫) તીર્થ ૬) લિંગ ૭) ચારિત્ર ૮) બુદ્ધ ૯) જ્ઞાન ૧૦) અવગાહના ૧૧) ઉત્કર્ષ ૧૨) અંતર ૧૩) અનુસમય ૧૪) ગણના ૧૫) અલ્પબદુત્વ. • નયોના ચાર પ્રકાર છે - નયો બે પ્રકારના છે- (૧) પૂર્વભાવપ્રજ્ઞાપનીયનય-પૂર્વેના ભાવને
SR No.023408
Book TitleSiddha Prabhrut Ane Siddha Panchashika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy