SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ નયોના ચાર પ્રકાર જણાવે તે. (૨) પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનય-વર્તમાનભાવને જણાવે તે. પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયના બે પ્રકાર છે - (i) પરંપરપૂર્વભાવપ્રજ્ઞાપનીયનય, (ii) અનંતરપૂર્વભાવપ્રજ્ઞાપ નીયનય ૭ પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયના બે પ્રકાર છે . - (i) સંવ્યવહારપ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનય, (ii) નિશ્ચયપ્રત્યુત્યનભાવપ્રજ્ઞાપનીયનય. અહીં પહેલા ત્રણ નયોનો અધિકાર છે. નિશ્ચયપ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયનો વ્યાપાર ક્ષેત્ર-ગતિ વગેરે કેટલાક દ્વા૨ોમાં છે બધા દ્વારોમાં નથી. માટે તેનો અહીં અધિકાર નથી. નૈગમ વગેરે નયોનો અહીં ઉપન્યાસ કર્યો નથી, કેમકે તે અહીં અનુપયોગી છે, અથવા તે સામાન્ય-વિશેષ સ્વરૂપ હોવાથી તેમનો ઉપરના નયોમાં જ સમાવેશ થઈ જાય છે. ♦ નિશ્ચયપ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ સિદ્ધોની ૧૫ દ્વારોમાં વિચારણા ૧) ક્ષેત્ર - સિદ્ધો સિદ્ધિક્ષેત્રમાં છે. ૨) કાળ - સિદ્ધિક્ષેત્રમાં કાળ ન હોવાથી કાળદ્વારનો અહીં અવતાર થતો નથી. ૩) ગતિ - સિદ્ધો સિદ્ધિગતિમાં છે. ૪) વેદ - સિદ્ધોને વેદ ન હોવાથી વેદદ્વારનો અહીં અવતાર થતો નથી. ૫) તીર્થ - તીર્થદ્વારનો અહીં અવતાર થતો નથી. ૬) લિંગ - સિદ્ધોને લિંગ ન હોવાથી લિંગદ્વારનો અહીં અવતાર થતો નથી. ૭) ચારિત્ર - સિદ્ધોને સ્વરૂપ૨મણતારૂપ ચારિત્ર હોય છે, પણ સામાયિક વગેરે પાંચ ચારિત્રમાંથી એકે ચારિત્ર હોતું નથી. તેથી ચારિત્રદ્વારનો અહીં અવતાર થતો નથી.
SR No.023408
Book TitleSiddha Prabhrut Ane Siddha Panchashika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy