SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ હવે દષ્ટાંતથી દાન્તિક અર્થની ઘટના કરતા ગ્રંથકાર બે આર્યાઓને કહે છે– ગાથાર્થ– તેવી રીતે (ગણધરો વગેરે) સપુરુષો વડે અનુગ્રહબુદ્ધિથી કહેવાયેલા, હિતકર અને પરિણામે સુંદર એવા સત્યનો અનાદર કરનારા, રાગ-દ્વેષના ઉદયથી દુષ્ટ આચરણવાળા (=સ્વચ્છંદચારી), જાતિ-કુલ-રૂપ બલ-લાભ-બુદ્ધિ-વાલ્લભ્ય-શ્રુતના મદથી અંધ બનેલા અને અજ્ઞાની જીવો આ લોકમાં અને પરલોકમાં હિતકર પણ અર્થને (=સર્વજ્ઞવચનને) જોતા નથી. ટીકાર્થ– જાતિ-માતાથી ઉત્પન્ન થયેલી. કુલ=પિતાથી ઉત્પન્ન થયેલું. રૂપ=શરીરની સુંદર આકૃતિ. બલ–સામર્થ્ય. લાભ=ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ. બુદ્ધિ ઔત્પાતિકી વગેરે. તે આ પ્રમાણે-ત્પાતિકી, વૈનયિકી, કાર્મિકી અને પારિણાર્મિકી એમ બુદ્ધિ ચાર પ્રકારની કહી છે. પાંચમી બુદ્ધિ ઉપલબ્ધ થતી નથી. વાલમ્પક-બીજાને પ્રિય બનવું. શ્રત=આગમ. અંધ=હિતકરઅહિતકર વસ્તુના વિચારને ન જોવાથી (=કરવાથી) વિવેકરૂપ ચક્ષુથી રહિત. (૭૯-૮૦) આ પ્રમાણે કરણ અધિકાર અને અર્થ અધિકાર એ બે અધિકાર પૂર્ણ થયા. (૦) મદસ્થાન અધિકાર अथैनामेवानन्तरोक्तमदस्थानप्रतिपादिकामार्यां विवरीषुर्जातिमदाद्यष्टमदस्थानव्युदासमार्याषोडशकेन बिभणिषुः प्रथमं जातिमदत्यागमाह ज्ञात्वा भवपरिवर्ते, जातीनां कोटिशतसहस्रेषु ।। हीनोत्तममध्यत्वं, को जातिमदं बुधः कुर्यात् ? ॥ ८१ ॥ ज्ञात्वा-विज्ञाय भवपरिवर्ते-नारको भूत्वोद्धृत्य तिर्यग् मनुष्यो वा भवतीत्यादिपरिभ्रमणरूपे जातीनाम्-एकेन्द्रियजातिप्रभृतीनां कोटिशतसहस्रेषु मध्ये हीनोत्तममध्यत्वं-जघन्यप्रधानमध्यवर्तिभावं ज्ञात्वेति सम्बन्धः । ततः किं ? को जातिमदं बुधः कुर्यादिति व्यक्तमिति ॥ ८१ ॥ હવે હમણાં જ કહેલાં મદસ્થાનોને જણાવનારી આર્યાનું વિવરણ કરવાની ઇચ્છાવાળા અને સોળ આર્યાએથી જાતિમદ આદિ આઠ મદ સ્થાનોનો ત્યાગ કરવાનું કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર પ્રથમ જાતિમદના ત્યાગને કહે છે પ્રશમરતિ ૬૪
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy