________________
હવે દષ્ટાંતથી દાન્તિક અર્થની ઘટના કરતા ગ્રંથકાર બે આર્યાઓને કહે છે–
ગાથાર્થ– તેવી રીતે (ગણધરો વગેરે) સપુરુષો વડે અનુગ્રહબુદ્ધિથી કહેવાયેલા, હિતકર અને પરિણામે સુંદર એવા સત્યનો અનાદર કરનારા, રાગ-દ્વેષના ઉદયથી દુષ્ટ આચરણવાળા (=સ્વચ્છંદચારી), જાતિ-કુલ-રૂપ બલ-લાભ-બુદ્ધિ-વાલ્લભ્ય-શ્રુતના મદથી અંધ બનેલા અને અજ્ઞાની જીવો આ લોકમાં અને પરલોકમાં હિતકર પણ અર્થને (=સર્વજ્ઞવચનને) જોતા નથી.
ટીકાર્થ– જાતિ-માતાથી ઉત્પન્ન થયેલી. કુલ=પિતાથી ઉત્પન્ન થયેલું. રૂપ=શરીરની સુંદર આકૃતિ. બલ–સામર્થ્ય. લાભ=ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ. બુદ્ધિ ઔત્પાતિકી વગેરે. તે આ પ્રમાણે-ત્પાતિકી, વૈનયિકી, કાર્મિકી અને પારિણાર્મિકી એમ બુદ્ધિ ચાર પ્રકારની કહી છે. પાંચમી બુદ્ધિ ઉપલબ્ધ થતી નથી. વાલમ્પક-બીજાને પ્રિય બનવું. શ્રત=આગમ. અંધ=હિતકરઅહિતકર વસ્તુના વિચારને ન જોવાથી (=કરવાથી) વિવેકરૂપ ચક્ષુથી રહિત. (૭૯-૮૦) આ પ્રમાણે કરણ અધિકાર અને અર્થ અધિકાર એ બે અધિકાર પૂર્ણ થયા.
(૦) મદસ્થાન અધિકાર अथैनामेवानन्तरोक्तमदस्थानप्रतिपादिकामार्यां विवरीषुर्जातिमदाद्यष्टमदस्थानव्युदासमार्याषोडशकेन बिभणिषुः प्रथमं जातिमदत्यागमाह
ज्ञात्वा भवपरिवर्ते, जातीनां कोटिशतसहस्रेषु ।। हीनोत्तममध्यत्वं, को जातिमदं बुधः कुर्यात् ? ॥ ८१ ॥
ज्ञात्वा-विज्ञाय भवपरिवर्ते-नारको भूत्वोद्धृत्य तिर्यग् मनुष्यो वा भवतीत्यादिपरिभ्रमणरूपे जातीनाम्-एकेन्द्रियजातिप्रभृतीनां कोटिशतसहस्रेषु मध्ये हीनोत्तममध्यत्वं-जघन्यप्रधानमध्यवर्तिभावं ज्ञात्वेति सम्बन्धः । ततः किं ? को जातिमदं बुधः कुर्यादिति व्यक्तमिति ॥ ८१ ॥
હવે હમણાં જ કહેલાં મદસ્થાનોને જણાવનારી આર્યાનું વિવરણ કરવાની ઇચ્છાવાળા અને સોળ આર્યાએથી જાતિમદ આદિ આઠ મદ સ્થાનોનો ત્યાગ કરવાનું કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર પ્રથમ જાતિમદના ત્યાગને કહે છે
પ્રશમરતિ ૬૪