________________
तस्यापूर्वकरणमथ घातिकर्मक्षयैकदेशोत्थम् ।। ऋद्धिप्रवेकविभववदुपजातं जातभद्रस्य ॥ २५४ ॥ तस्य-यतेः पूर्वोक्तानेकगुणान्वितस्य अपूर्वकरणं-प्राक्तनकर्मक्षयदक्षमुपजातं વતિ ! સાથ-અનન્તર | જીદશમ્ ? પાતિવાણાં વતુળ ફર્યવાવેશઃअसमस्तक्षयस्तदुत्थं-तत्प्रभवं । पुनः कीदृशम् ? ऋद्धेः प्रवेकाः-प्रकारा अवधिज्ञानादयस्त एव विभवास्ते विद्यन्ते यत्र तत्तथा । पुनः किंविशिष्टस्य साधोः ? जातभद्रस्य-समुत्पन्नकल्याणस्येति ॥ २५४ ॥
રૂતિ થ્થાનાય છે. સાધુના આગળના ( ધ્યાન કરતાં પ્રગટતા) વિશેષણોને (Fગુણોને)
ગાથાર્થ– આ પ્રમાણે પૂર્વે કહ્યું તેમ સદા સંસાર ઉપર ઉદ્વેગને કરતા, ક્ષમાની પ્રધાનતાવાળા, ક્રોધ-અહંકારને જીતી લેનારા, માયારૂપ પાપને દૂર કરી દેનારા, સર્વ પ્રકારના લોભને જીતી લેનારા, (૨૫૦) અરણ્ય અને કુળોથી પૂર્ણ એ બંને પ્રકારના પ્રદેશો પ્રત્યે સમાન ભાવવાળા, અર્થાત્ જંગલ અને શહેર એ બંનેમાં સમાન બુદ્ધિવાળા, બંધુજન અને શત્રુવર્ગને પોતાનાથી ભિન્ન માનનારા, વાંસલાથી શરીરનું છેદન કરનાર અને શરીર ઉપર ચંદનનો વિલેપન કરનાર એ બંને ઉપર સમાન ભાવ રાખનારા, (૨૫૧) આત્મામાં જ રમણ કરનારા, શોભા પામેલા, તૃણ-મણિને સમાન ગણનારા, લોઇ(=ઢેફુ)-સુવર્ણને સમાનરૂપે તજી દેનારા, સ્વાધ્યાયધ્યાનમાં તત્પર, અત્યંત પ્રમાદરહિત, (૨૫૨) અધ્યવસાયોની વિશુદ્ધિ થવાના કારણે શુભ મન-વચન-કાયાથી નિર્મલતાને પામતા તે સાધુ ઉત્તરોત્તર કાળે વધતી ચારિત્રશુદ્ધિ અને વેશ્યાવિશુદ્ધિને પામે છે. (૨૫૩) ૧. મૂળ શ્લોકમાં “અહંકારને જીતી લેનારા' એમ કહ્યું હોવા છતાં ટીકાકારે “ક્રોધ
અહંકારને જીતી લેનારા' એવો અર્થ કર્યો છે. કારણ કે અહીં બતાવેલા વિશેષણોમાં માનને જીતી લેનારા, માયાને જીતી લેનાર, લોભને જીતી લેનારા એમ અલગ અલગ કહ્યું છે. પણ ક્રોધને જીતી લેનારા એમ કહ્યું નથી. આથી ટીકાકારે “અહંકારને જીતી લેનારા' વિશેષણમાં ક્રોધને પણ લઈ લીધો છે અને તે બરોબર છે. કારણ કે અહંકાર જીતાઈ જાય એટલે ક્રોધ પણ જીતાઈ જાય છે. કારણ કે મુખ્યપણે ક્રોધ અહંકારમાંથી જન્મે છે.
પ્રશમરતિ ૦ ૨૧૦