________________
संवेदनी-नरकादिदुःखकथनेन कामेभ्यो निवर्तनी ३ निर्वेदनींभवत्रासान्मोक्षाभिलाषप्रवर्तिकां ४ इति चतुर्विधां ध` कथां कुर्यादिति, स्त्र्यादि-कथा ४ दूरतस्त्याज्या इति सुगममिति ॥ १८३ ॥
ગાથાર્થ- સાધુએ સદા સંવેદની અને નિર્વેદની ધર્મકથાને કરવી અને સ્ત્રીકથા, ભક્તકથા, ચોરકથા અને જનપદ (દેશ) કથાનો દૂરથી ત્યાગ કરવો.
ટીકાર્થ– સંવેદની=નરકાદિના દુઃખોનું વર્ણન કરવા દ્વારા શ્રોતાને ભોગસુખોથી હરાવનાર=દૂર કરનારી કથા સંવેદની કથા છે.
નિર્વેદનીસંસાર પ્રત્યે ત્રાસ ઉત્પન્ન કરાવીને શ્રોતાને મોક્ષની અભિલાષા તરફ પ્રવર્તાવે, અર્થાત્ મોક્ષની પ્રાપ્તિનો તલસાટ ઉત્પન્ન કરે તે નિર્વેદની કથા. (૧૮૩)
પિ– यावत् परगुणदोषपरिकीर्तने व्यावृत्तं मनो भवति । तावद् वरं विशुद्धे, ध्याने व्यग्रं मनः कर्तुम् ॥ १८४ ॥ यावन्तं कालं परेषां-आत्मव्यतिरिक्तानां गुणदोषयोः प्रतीतयोः परिकीर्तनं तत्र व्यावृत्तं-व्याकुलं मनः-अन्तःकरणं भवति तावद्वरं, वर्तते इति शेषः । विशुद्धे ध्याने व्यग्रं मनः कर्तुमिति ॥ १८४ ॥
વળી–
મન જેટલો સમય બીજાઓના ગુણ-દોષો બોલવામાં રોકાય છે, તેટલો સમય તેને વિશુદ્ધ ધ્યાનમાં ઓતપ્રોત બનાવવું એ વધારે શ્રેષ્ઠ છે.
(પ્રશ્ન- બીજાના દોષો બોલવા એ દોષરૂપ છે, પણ બીજાના ગુણો બોલવા એ તો ગુણરૂપ છે. આથી પરગુણ-પરિકીર્તન શા માટે ન કરવું?
ઉત્તર– મગનું પાણી અને દૂધ બંને પૌષ્ટિક અને ઉત્તમ છે. છતાં રોગીને તો મગનું પાણી જ લાભ કરે. પણ નિરોગી માણસને આ બેમાં કોનાથી વધારે લાભ મળે? દૂધથી જ ને ? મગનું પાણી લે તો તેને નુકશાન કશું જ નથી. પણ દૂધપાનથી મળતા અધિક લાભથી વંચિત રહી જાય છે. એ જ પ્રમાણે પ્રસ્તુતમાં ગુણાનુવાદ એ મગના પાણી તુલ્ય છે અને વિશુદ્ધ
પ્રશમરતિ • ૧૩૮