________________
અને ચતુષ્પદ એ નવ દ્રવ્યગ્રંથ છે. આઠ કર્મ, મિથ્યાત્વ, અવિરતિ અને અશુભયોગ એ ભાવગ્રંથ છે.) સત્ય=મૃષાવાદનો ત્યાગ. તપ=અનશન વગેરે. બ્રહ્મચર્ય-મૈથુનથી નિવૃત્તિ. આકિંચન્ય=પરિગ્રહનો અભાવ.' (૧૬૭) क्षान्तेः प्राधान्यदर्शनार्थमाह- . धर्मस्य दया मूलं, न चाक्षमावान् दयां समाधत्ते । तस्माद् यः क्षान्तिपरः, स साधयत्युत्तमं धर्मम् ॥ १६८ ॥ धर्मस्य दशप्रकारस्य दया मूलं । न चाक्षमावान् दयां समाधत्ते-करोति । तस्मात् यः शान्तिपरः स साधयत्युत्तमं धर्ममिति ॥ १६८ ॥
ક્ષમાની મુખ્યતા બતાવવાને માટે કહે છે– ગાથાર્થ (દશ પ્રકારના) ધર્મનું મૂળ દયા છે. ક્ષમારહિત જીવ દયા કરી શકતો નથી. આથી જે જીવ ક્ષમામાં તત્પર છે તે (દશ પ્રકારના) ઉત્તમ ધર્મને આરાધે છે. (૧૬૮)
मार्दवमाहविनयायत्ताश्च गुणाः, सर्वे विनयश्च मार्दवायत्तः । यस्मिन् मार्दवमखिलं, स सर्वगुणभाक्त्वमाप्नोति ॥ १६९ ॥ विनयायत्ता-गुर्वभ्युत्थानाद्यधीना गुणा-ज्ञानादयः सर्वे, विनयश्च मार्दवायत्तोमृदुत्वाधीनो, यस्मिन् मार्दवमखिलं-समस्तं स प्राणी सर्वगुणभाक्त्वंसमस्तज्ञानाद्याश्रयतामाप्नोति-लभते, तस्मान्मार्दवं कार्यमिति ॥ १६९ ॥
માર્દવને કહે છે
ગાથાર્થ– સર્વગુણો વિનયને આધીન છે. વિનય માર્દવને ( નમ્રતાને) આધીન છે. જેનામાં માર્દવ સંપૂર્ણ છે તે સર્વગુણોની સેવાને પામે છે=જ્ઞાનાદિ સર્વગુણોની આશ્રયતાને પામે છે, અર્થાત્ તેમાં સર્વગુણો આવે છે. (તેથી માર્દવ કરવું જોઈએ.) (૧૬૯) ૧. સીજ્યારે પુષ્યવધાન=ક્ષમા વગેરે પવિત્ર પ્રકારો. (ટીકામાં જુઓ.)
પ્રશમરતિ - ૧૨૮