SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ કષાયોની શાંતિ થવાના નિમિત્તોનું સેવન કરવું, જેથી મન-વચન-કાયાની શુદ્ધિ થાય. (૧૬૬) આ પ્રમાણે ભાવના અધિકાર પૂર્ણ થયો. (૧૦) ધર્મ અધિકાર अथ दशविधधर्म उद्देशनिर्देशाभ्यामभिधीयतेसेव्यः क्षान्तिर्दिवमार्जवशौचे च संयमत्यागौ । सत्यतपोब्रह्माकिंचन्यानीत्येष धर्मविधिः ॥ १६७. ॥ सेव्यः-आसेवनीयः एष धर्मविधिः-क्षान्त्यादि पुण्यविधानं, कथमिति ?, एवंप्रकारः, क्षान्तिः-कोपाभावः मार्दवं-मानविजयः । आर्जवं च शौचं च ते तथा, तत्रार्जवं-मृदु(ऋजु)ता शौचं-संयमनिर्लेपता अदत्तादानपरिहारो वा । चः समुच्चये । संयमत्यागौ, तत्र संयमः-सप्तदशभेदः त्यागस्तु द्रव्यभावग्रन्थत्यजनं ततो द्वन्द्वस्तौ सेव्यौ, सत्यादिपदचतुष्टयस्येतरेतरयोगः, तत्र सत्यंमृषावर्जनं तपः-अनशनादि ब्रह्म-मैथुननिवृत्तिः आकिंचन्यं-निष्परिग्रहत्वं, પતનિ સેવ્યાનીતિ / ૬૭ | હવે દશ પ્રકારના ધર્મને ઉદ્દેશ અને નિર્દેશથી કહે છેગાથાર્થ શાંતિ, માર્દવ, આર્જવ, શૌચ, સંયમ, ત્યાગ, સત્ય, તપ, બ્રહ્મચર્ય, આકિંચન્ય આ ધર્મના (દશ) પ્રકારનું સેવન (=પાલન) કરવું જોઇએ. ટીકાર્થ– શાંતિ ક્રોધનો અભાવ. માર્દવ=માન ઉપર વિજય. આર્જવ=સરળતા, શૌચ=સંયમમાં નિઃસ્પૃહતા અથવા અદત્તાદાનનો ત્યાગ. સંયમ=સત્તર પ્રકારનો સંયમ. (સત્તર પ્રકાર ૧૭૨મી ગાથામાં કહેશે.) ત્યાગ=દ્રવ્ય-ભાવ ગ્રંથનો ત્યાગ. (ધન, ધાન્ય, ક્ષેત્ર (જમીન), વાસ્તુ (=ઘરવખરી વગેરે), રૂપું, સુવર્ણ, કુપ્ય (તાંબુ વગેરે ધાતુઓ), દ્વિપદ ૧. કોઈપણ વસ્તુનો નામથી ઉલ્લેખ થાય તે ઉદ્દેશ કહેવાય. પછી તેનું વિસ્તૃત વર્ણન થાય તેને નિર્દેશ કહેવાય. પ્રસ્તુતમાં ૧૬૭મી ગાથામાં ઉદ્દેશથી કથન છે. પછી ૧૬૮મી ગાથાથી નિર્દેશથી કથન છે. પ્રશમરતિ - ૧૨૭
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy