SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ શરીર ક્ષમાદિ દશ પ્રકારના ધર્મનું અને પાંચ મહાવ્રત વગેરે ચારિત્રનું (=મૂલગુણ-ઉત્તરગુણો રૂપ ચારિત્રનું) સાધન છે. દેહને ટકાવવા માટે આહાર-પાણી આદિ જરૂરી છે. આથી ક્ષમાદિ દશ પ્રકારના ધર્મના અને પાંચ મહાવ્રત આદિ ચારિત્રના પાલન માટે આહાર-પાણી આદિથી શરીરની રક્ષા ઇષ્ટ છે=શાસ્ત્ર સંમત છે. આહાર-પાણી આદિ લોકોની પાસેથી મેળવવાના છે. આમ શ૨ી૨૨ક્ષા માટે લોકના ઘરે જવું, આહારાદિ શા માટે તૈયાર કર્યું છે, ઇત્યાદિ પૃચ્છા કરવી, તેની આજીવિકાનું સાધન શું છે તે જાણવું. (ખેતી કરતા હોય તો એમને ત્યાં અમુક પ્રકારનો આહાર સવારમાં મળે, બપો૨નો આહાર અમુક પ્રકારનો મળે, વેપાર કરતા હોય તો એમને ત્યાં સવારનો અમુક પ્રકારનો આહાર મળે, બપોરના અમુક પ્રકારનો આહાર મળે, ધંધાના પ્રમાણે રસોઇનો સમય પણ જુદો જુદો હોય) આર્થિક સ્થિતિનો અને માનસિક સ્થિતિનો ખ્યાલ રાખવો, લોકની રહેણી-કરણી કેવી છે, વસ્ત્રપરિધાન કેવું છે ? ઇત્યાદિ લોકચિંતન પણ શાસ્ત્રસંમત છે. પણ ધર્માચરણમાં જરૂર પડે તેટલા પૂરતી જ શરી૨૨ક્ષા અને શ૨ી૨૨ક્ષા પૂરતી જ લોકચિંતા હોવી જોઇએ. પણ ધંધો કેવી રીતે બરાબર ચાલે ? ધન કેવી રીતે મળે ? સગપણ કેવી રીતે થાય ? રોગ કેવી રીતે દૂર થાય ? શરીર કેવી રીતે સારું રહે ? પુત્રાદિની પ્રાપ્તિ કેવી રીતે થાય ? ઇત્યાદિ લોકચિંતા ઇષ્ટ નથી=શાસ્ત્રસંમત નથી. (૧૩૦) अपिच-लोकवार्ताऽन्वेषणाप्रयोजनमिदमपरम् लोकः खल्वाधारः, सर्वेषां धर्मचारिणां यस्मात् । तस्माल्लोकविरुद्धं, धर्मविरुद्धं च संत्याज्यम् ॥ १३१ ॥ લો: વસ્તુ-નનપર્વાધાર-આશ્રયો, વર્તત રૂતિશેષઃ, सर्वेषां धर्मचारिणां-संयमिनां यस्मात्कारणात् तस्मात्कारणात् लोके-पृथग्जनपदे विरुद्धं-जातमृतसूतकनिराकृतगृहेषु भिक्षाग्रहणमसंगतं तत्तथा । तथा धर्मविरुद्धंમધુમાંસાવિત્પ્રદ્દળ । ચ: સમુયે । સંત્યાગ્યું-પરિહાર્યમિતિ ॥ ૨૩૨ ॥ વળી લોકનિર્વાહની તપાસ કરવાનું આ બીજું કારણ છે— પ્રશમરતિ - ૧૦૨
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy