SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાર્થ– લોકવ્યાપારથી (=ભોગસુખનાં સાધનો મેળવવા માટે ખેતી આદિ પ્રવૃત્તિથી અથવા ગૃહસ્થની ભૌતિક કામના પૂર્ણ થાય એ માટે દોરા-ધાગા, મંત્ર-તંત્ર વગેરે પ્રવૃત્તિથી) રહિત સાધુને આ લોકમાં જ જે સુખ છે તે સુખ ચક્રવર્તીને નથી જ કે નથી જ ઇન્દ્રને. (ચક્રવર્તીનું સુખ શબ્દ વગેરે વિષયથી થયેલું હોય છે. વિષયસુખનાં સાધનો અનિત્ય છે તથા શબ્દ વગેરે વિષયસુખનાં સાધનોથી સુખ મળે જ એવો નિયમ નથી. કારણ કે પૂર્વે કહ્યું તેમ તે સાધનો વિપરિણામ પામવાના સ્વભાવવાળા છે. ઇન્દ્રનું સુખ પણ દુઃખયુક્ત છે. ઇન્દ્રને પોતાનાથી ઉપર રહેલા ઇન્દ્રને અધિક સુખ મળ્યું છે એમ જાણીને તેના સુખની ઈર્ષ્યા થાય. તથા ઈન્દ્રનું સુખ પણ અનિત્ય છે અથવા તેવર/ શબ્દથી અનુત્તર વિમાનવાસી દેવ લઈ શકાય. અનુત્તર વિમાનવાસી દેવનું સુખ પણ અનિત્ય છે. તેવા દેવને ફરી મનુષ્યસ્ત્રીના ગર્ભમાં વાસ વગેરેનું દુઃખ આવવાનું છે. આમ પ્રશમસુખને અનુભવતા સાધુને જેવું સુખ હોય તેવું સુખ સંસારમાં કોઈને ય ન હોય.) (૧૨૮) इदमेव पुनः स्पष्टयतिसन्त्यज्य लोकचिन्तामात्मपरिज्ञानचिन्तनेऽभिरतः । जितलोभरोषमदनः, सुखमास्ते निर्ज(व )रः साधुः ॥ १२९ ॥ सन्त्यज्य-मुक्त्वा लोकचिन्तां-स्वजनादिजनस्मृतिं सुखमास्ते-स्वस्थस्तिष्ठति साधुरिति सम्बन्धः । कीदृशः ? आत्मपरिज्ञानचिन्तनेऽभिरतः-परकार्यविमुखः, तथा जिताः-पराभूता रोषलोभमदना येन स तथा । अत एव निर्चराःअरोगाः, यतो रोषादयो ज्वर इव ज्वरस्तद्रहितत्वात्, यद्वा पाठान्तरे निर्गता जरा-हानिः, सा च प्रस्तावात् प्रशमामृतस्य यस्यासौ निर्जर इति ॥ १२९ ।। આ જ વિષયને ફરી સ્પષ્ટ કરે છે– ગાથાર્થ લોકચિતાને (=સ્વજનાદિ લોકની સ્મૃતિને અથવા સ્વજનપરજનની દરિદ્રતા, દૌર્ભાગ્ય, પુત્રાપ્રાપ્તિ, રોગ, પરાધીનતા આદિની ચિંતાને) છોડીને આત્મજ્ઞાન ચિંતનમાં (સંસારમાં પરિભ્રમણ કરતા મેં ભોગસુખોની લાલસાના કારણે અનંત શારીરિક – માનસિક દુઃખો સહન પ્રશમરતિ - ૧૦૦
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy