SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ જે કારણથી આ પ્રમાણે છે (=ઋદ્ધિસમૂહો અશુભ પરિણામવાળા છે) તે કારણથી વિષયસુખોની ઇચ્છાથી શું ? એમ જણાવતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ– અનિત્ય, ભયબહુલ, કાંક્ષિત અને પરાધીન એવા ભોગસુખોથી શું? (=ભોગસુખોથી કોઈ લાભ નથી.) પ્રશમસુખ નિત્ય, નિર્ભય, આત્મસ્થ છે. (તેથી) પ્રશમસુખમાં યત્ન કરવો જોઇએ. ટીકાર્થ– ભયબહુલ=ઘણા અભયવાળા. કાંક્ષિત ઇચ્છેલા. પરાધીન=(શરીર, ઇન્દ્રિયો, ધન) સ્ત્રી આદિ પદાર્થ સમૂહને આધીન. (૧૨૨) तद्यनश्चेन्द्रियजययत्नेन भवतीति दर्शयतियावत् स्वविषयलिप्सोरक्षसमूहस्य चेष्ट्यते तुष्टौ । तावत्तस्यैव जये, वरतरमशठं कृतो यत्नः ॥ १२३ ॥ अक्षसमूहस्य-इन्द्रियग्रामस्य स्वविषयलिप्सोः-शब्दादिगोचराभिलाषिणस्तुष्टौतोषे कर्तव्ये यावत् चेष्ट्यते-प्रयासः क्रियते तावत् तस्यैव जये-अक्षसमूहस्य निग्रहे वरतरं-शोभनतरं अशठं-मायारहितं यथा भवत्येवं कृतो-विहितो यत्नःમાત્ર રૂતિ / ૨૨રૂ | પ્રશમસુખમાં યત્ન ઇન્દ્રિયજયમાં યત્ન કરવાથી થાય. આથી ઇન્દ્રિયજયમાં યત્ન કરવાનું જણાવે છે૧. આલોકભય ( પોતે જે ગતિમાં હોય તે ગતિના જીવથી ભય. જેમ કે મનુષ્યને મનુષ્યથી ભય.) ૨. પરલોકભય (=પોતે જે ગતિમાં હોય તે સિવાયની ગતિના જીવથી ભય. જેમ કે મનુષ્યને સાપથી ભય.) ૩. આદાનભય (=મારું ધન વગેરે કોઈ લઈ લેશે એવો ભય.) ૪. અકસ્માતુ ભય (=ધરતીકંપ, વિદ્યુત્પાત વગેરે અકસ્માતુ થવાનો ભય.) ૫. આજીવિકા ભય (=હવે મારી આજીવિકા કેવી રીતે ચાલશે એમ આજીવિકાનો ભય.) ૬. અપજશ ભય (હું અમુક કાર્ય કરીશ તો લોકમાં મને અપજશ મળશે ઇત્યાદિ રીતે અપજશનો ભય.) ૭. મૃત્યુભય. આમ ભયના સાત પ્રકાર છે. પ્રશમરતિ ૦ ૯૭
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy