SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ તેમને (=વિષયાસક્તોને) જ ઉપદેશ કહે છે ગાથાર્થ– મનને ગમતા વિષયોના પરિણામની (=વિષય લાલસાની) નિવૃત્તિ કરવી જોઇએ. વિષયોના પરિણામની નિવૃત્તિ કરવાથી અનંતગુણ અને નિર્દોષ ગુણયોગ (=ગુણપ્રાપ્તિ થાય એમ વિચારવું. ટીકાર્થ- સ્ત્રી વગેરે વિષયો છે. જો કે સ્પર્શ વગેરે વિષયો છે, આમ છતાં સ્પર્શ વગેરે વિષયોનો સ્ત્રી વગેરે આધાર હોવાથી આધારમાં આધેયનો ઉપચાર કરીને સ્ત્રી વગેરે વિષયો છે એમ કહ્યું છે. બીજાઓ વિષયપરિVIમનિયમ: અનુપ્રેક્ષ્ય: એ પદોનો અર્થ આ પ્રમાણે કરે છે– શુભ વિષયો અશુભ બની જાય છે અને અશુભ વિષયો શુભ બની જાય છે. આ પ્રમાણે વિષયોનો પરિણામ થતો હોવાથી આ વિષયો મારે ન ભોગવવા એવો નિયમ કરવો જોઈએ. વિષયોનો નિયમ કરવાથી અનંતગુણ અને નિર્દોષ ગુણયોગ (=ગુણપ્રાપ્તિ) થાય છે એમ વિચારવું. (૧૧૧) આ પ્રમાણે મદસ્થાન અધિકાર પૂર્ણ થયો. (૮) આચાર અધિકાર इत्थं शिक्षितोऽप्यात्मा येषां शिक्षां न गृह्णाति तैस्तस्य यद्विधेयं तदाहइति गुणदोषविपर्यासदर्शनाद्विषयमूच्छितो ह्यात्मा । भवपरिवर्तनभीरुभिराचारमवेक्ष्य परिरक्ष्यः ॥ ११२ ॥ इति-इत्थं पूर्वोक्तन्यायेन गुणाश्च दोषाश्च गुणदोषाः तेषु ज्ञातेष्वपि विपर्यासोगुणान् दोषरूपेण पश्यति दोषांश्च गुणरूपेणेति तस्य दर्शनं तस्मात् विषयमूच्छितः-तन्मयतां गत आत्मा स्वः परिरक्ष्यः-परिपालनीय इत्यन्तपदेन सम्बन्धः । कैः ? भवपरिवर्तनभीरुभिः-संसार(जन्म)मरणबिभ्यद्भिः । किं कृत्वा ? अवेक्ष्यશીત્વ | ? ગાવા-પ્રથમફાર્થ, દિ મ્યુમિતિ ૨૨૨ / આ પ્રમાણે શિક્ષા અપાયેલો પણ જેમનો આત્મા શિક્ષાને ગ્રહણ કરતો નથી તેમણે જે કરવું જોઇએ તેને કહે છે ગાથાર્થ આ પ્રમાણે ( પૂર્વે કહ્યું તેમ ગુણોનું અને દોષોનું જ્ઞાન થવા છતાં) ગુણોને દોષ તરીકે અને દોષોને ગુણ તરીકે જોવાથી વિષયમાં આસક્ત પ્રશમરતિ • ૮૭
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy