________________
પંચસૂત્ર
૮૦.
ત્રિીજું સૂત્ર
प्रधानं बुधानां परमार्थतः, परमार्थेन । धीरा एतद्दर्शिन आसन्नभव्या नान्ये । स शुक्लपाक्षिकः पुरुषः तौ मातापितरौ सम्यक्त्वाद्यौषधसंपादनेन जीवयेदात्यन्तिकम् । कथं ? इत्याह- अमरणावन्ध्यबीजयोगेन, चरममरणावस्थ्यकारणसम्यक्त्वादियोगेनेत्यर्थः । संभवत्येतदत एवाह- संभवात्पुरुषोचितमेतद्, यदुतैवं तत्त्याग इति । किमिति ? अत आह- दुष्प्रतिकारौ मातापितरौ इति कृत्वा एष धर्मः सतां सत्पुरुषाणां, भगवानत्र ज्ञातं महावीर एव परिहरन् गर्भाभिग्रहप्रतिपत्त्याऽकुशलानुबन्धिनं तथाकर्मपरिणत्या मातापितृशोकं प्रव्रज्याग्रहणोद्भवमिति । उक्तं च
अह सत्तमम्मि मासे, गब्भत्यो चेवभिग्गहं गेण्हे । णाहं समणो होहं, अम्मापियरे जियंतम्मि ॥
સૂત્ર-ટીકાર્થ– આ વિગત આ પ્રમાણે કેમ છે ? એ વિષે ગ્રંથકાર કહે છેઆવો માતા-પિતાનો) ત્યાગ તાત્ત્વિક ભાવનાથી માતા-પિતાના હિતની પ્રવૃત્તિરૂપ હોવાથી અત્યાગરૂપ છે અને અત્યાગ જ મિથ્યાભાવનાથી માતા-પિતાના અહિતની પ્રવૃત્તિરૂપ હોવાથી ત્યાગરૂપ છે. પરમાર્થથી અહીં પંડિતો અનુબંધવાળા ફળને જ પ્રધાન માને છે. આસભવ્ય ધીરપુરુષો અનુબંધવાળા ફળને જુએ છે, બીજાઓ નહિ. તે શુક્લપાક્ષિક મહાપુરુષ સમ્યકત્વાદિરૂપ ઔષધની પ્રાપ્તિથી ચરમ મૃત્યુનું
અવંધ્ય કારણ એવા સમ્યકત્વાદિનો યોગ કરાવીને ફરી મૃત્યુ ન થાય તે રીતે માતાપિતાને જીવાડે એ સંભવ છે. આથી આ રીતે માતા-પિતાનો ત્યાગ સપુરુષને યોગ્ય છે. કારણ કે માતા-પિતા દુષ્પતિકાર્ય હોવાથી માતા-પિતાનું હિત થાય તેમ કરવું એ પુરુષોનો ધર્મ છે=કર્તવ્ય છે. આ વિષયમાં ગર્ભાવાસમાં અભિગ્રહ સ્વીકારીને તેવી કર્મપરિણતિથી પ્રવજ્યા સ્વીકારના કારણે થનારા માતા-પિતાના પાપાનુબંધી શોકને દૂર કરનાર મહાવીર સ્વામી જ દષ્ટાંતરૂપ છે.
કહ્યું છે કે-“ગર્ભના પાલન-પોષણ માટે માતા-પિતા અતિશય યત્ન કરે છે, એથી માતા-પિતાનો મારા ઉપર અતિશય સ્નેહ છે, એમ જાણીને ભગવાને જોયું કે અહો ! માતા-પિતાનો મારા ઉપર અતિશય સ્નેહ હોવાથી જો હું એમના જીવતાં દીક્ષા લઉં તો તેઓ ચોક્કસ મૃત્યુ પામે. આથી ભગવાન ગર્ભમાં જ ગર્ભથી સાતમા મહિને અભિગ્રહ કરે છે કે જ્યાં સુધી માતા-પિતા જીવતા હશે ત્યાં