________________
પંચસૂત્ર
૭૫
ત્રીજું સૂત્ર
व्याजवान् स्यादित्यर्थः । उक्तं च
निर्माय एव भावेन, मायावांस्तु भवेत्क्वचित् । पश्येत्स्वपरयोर्यत्र, सानुबन्धहितोदयम् ॥
एवं च धर्माराधनमेव हितं सर्वसत्त्वानामिति । तथा तथैव दुःस्वप्नादिकथनेन संपादयेद् धर्माराधनम् ।
સૂત્ર-ટીકાર્થ– આ પ્રમાણે નિર્વાહનું સાધન કરવા છતાં અનુજ્ઞા ન આપે તો અંદરથી કપટભાવ વિના પણ બહારથી માયાવી બને. કહ્યું છે કે-“ભાવથી માયારહિત જ તે જ્યાં ક્યાંક સ્વ-પરના અનુબંધવાળા હિતનો ઉદય (= ચઢતી) જુએ ત્યાં (દેખાવથી) માયાવી થાય.” કારણ કે આ પ્રમાણે ધર્મની આરાધના જ સર્વ જીવોને હિતકર છે. કપટથી તે તે રીતે દુઃસ્વપ્ન (મને ખરાબ સ્વપ્ન આવ્યું હોવાથી મારું મૃત્યુ નજીક છે.) આદિકહીને રજા મેળવીને ધર્મારાધના પ્રાપ્ત કરે. ૫. માતા-પિતા કોઇપણ રીતે રજા ન આપે તો રજાવિના પણ દીક્ષા લેવી. सव्वहा अपडिवज्जमाणे चइज्जा ते, अट्ठाणगिलाणोसहत्थવાના.
सर्वथाऽप्रतिपद्यमानान् अमुनाऽपि प्रकारेण त्यजेत्तान् मातापित्रादीन् । अस्थानग्लानौषधार्थत्यागज्ञातेन, ज्ञातमुदाहरणम् ।
સૂત્ર-ટીકાર્થ– આમ કરવા છતાં કોઇપણ રીતે રજા નહિ આપતા માતાપિતાદિનો અસ્થાને રહેલા ગ્લાનને ઔષધ લેવા જવા માટે છોડવાના દષ્ટાંતથી ત્યાગ કરે.
૧. માયાથી દુષ્ટ સ્વપ્ન વગેરે કહેવું. એટલે કે ગધેડા-ઊંટ- પાડા વગેરે ઉપર બેઠેલો હતો
વગેરે અનિષ્ટ સૂચક દશ્ય મેં સ્વપ્નમાં જોયું. તથા મેં મારી બે આંખોની મધ્યનો ભાગ જોયો. દેવીઓનું ટોળું જોયું. વગેરે મનુષ્યથી ન દેખી શકાય તેવું વિપરીત દેખાણું, (આથી મારું આયુષ્ય અલ્પ છે) ઇત્યાદિ કપટથી માતાપિતાને જણાવવું. વળી પ્રકૃતિ વિપરીત કરવી, અર્થાત્ બહારથી મરણનાં ચિહ્નો બતાવવાં. આ બધું કરવાથી “હવે આનું મરણ નજીકમાં છે” એમ સમજીને માતા-પિતા વગેરે રજા આપે. છતાં રજા ન આપે તો
જ્યોતિષીઓ દ્વારા “આવી અમુક ચેષ્ટાઓ થાય ત્યારે મરણ નજીકમાં થાય” એમ વિપરીત ચેષ્ટાઓનાં ફળો જણાવવાં.