________________
પંચસૂત્ર
૩૪
પહેલું સૂત્ર
કલ્યાણ મિત્ર ગુરુએ કહેલા ભગવાનના વચનથી જાણ્યું છે– જે જીવને સાક્ષાત્ અરિહંતથી આ જ્ઞાન ન થયું હોય, કિંતુ ગુરુ દ્વારા આ જ્ઞાન થયું હોય તે જીવને આશ્રયીને આ ઘટે છે. મોટા ભાગના જીવોને ગુરુ દ્વારા ભગવંતના વચનની પ્રાપ્તિ થાય એવો ક્રમ છે. માટે આ પ્રમાણે (=કલ્યાણ મિત્ર ગુરુએ કહેલા ભગવાનના વચનથી જાણ્યું છે એ પ્રમાણે) ઉલ્લેખ કર્યો છે.
શ્રદ્ધાથી મને ગમ્યું છે– તેવા પ્રકારના કર્મક્ષયોપશમથી (=દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમથી) થયેલી શ્રદ્ધાથી મને ગમ્યું છે.
આ પ્રસંગમાં દુષ્કત ગર્તાના પ્રસંગમાં. મિચ્છા મિ દુક્કડ– મિચ્છા મિ દુક્કડે એ વાક્યનો વિશેષ અર્થ હોવાથી એની વ્યાખ્યા પ્રાકૃત અક્ષરોથી જ કરવી યોગ્ય છે. કેમ કે નિયુક્તિકારનું વચન પ્રમાણ છે. નિયુક્તિકાર (શ્રી ભદ્રબાહુસ્વામી) આ પ્રમાણે કહે છે-“મિચ્છા મિ દુક્કડં પદમાં મિ, છા,મિ,દુ,ક્ક અને એમ છ અક્ષરો છે. દરેક અક્ષરનો અર્થ આ પ્રમાણે છે. મિ=મૃદુતા, (નમ્રતા), ચ્છા દોષોનું છાદન કરવું-રોકવા, અર્થાત્ ફરી ન કરવા. મિ=મર્યાદામાં (ચારિત્રના આચારોમાં) રહેલ. દુ–દુષ્કત કરનાર આત્માની નિંદા કરું છું. આ ચાર અક્ષરોનો સમુદિત અર્થ આ પ્રમાણે છે-કાયાથી અને ભાવથી નમ્ર બનીને થયેલી ભૂલ ફરી નહિ કરુંએવા ભાવથી ચારિત્રના આચારોમાં રહેલો હું દુષ્કૃત્ય કરનારા મારા આત્માની નિંદા કરું છું.
ક=મેં પાપ કર્યું છે એવી પાપની કબૂલાત. =ઉપશમથી પાપને ઓળંગી જઉં છું. અર્થાત્ મેં પાપ કર્યું છે એવી કબૂલાત કરું છું અને ઉપશમભાવથી મારા કરેલા એ પાપથી રહિત બની જઉં છું. મિચ્છા મિ દુક્કડ પદના અક્ષરોનો સંક્ષેપથી આ અર્થ છે.
૧૦ પ્રણિધાન શુદ્ધિ अत्रैतत्सुन्दरत्वान्नासम्यगभिमन्यमान् आहપ્રસ્તુતમાં દુષ્કતની ગહ કરવી એ સુંદર હોવાથી દુષ્કતગહ સમ્યક(=બરોબર) કરવી જોઇએ, અસય ન કરવી જોઇએ, અર્થ ભાવથી કરવી જોઇએ, માત્ર
૧. વિનયપૂર્વક કાયાને (કેડથી ઉપરના ભાગને) નમાવવી તે કાયાથી નમ્રતા છે.