________________
પંચસૂત્ર
પહેલું સૂત્ર
આચરણ કર્યું હોય, ક્રિયાથી નહિ આચરવા લાયક અને મનથી પણ નહિ ઇચ્છવા લાયક, સ્વરૂપથી સૂક્ષ્મ કે બાદર પાપાનુબંધી પાપ, આ જન્મમાં કે અતીત ૫૨જન્મોમાં મનથી, વચનથી કે કાયાથી રાગ-દ્વેષ અને મોહ વડે જાતે કરવા રૂપે, બીજાઓ દ્વારા કરાવવા રૂપે, બીજાએ કરેલા પાપને અનુમોદવા રૂપે કર્યું હોય તે નિંદનીય છે, તે સદ્ધર્મની બહાર હોવાથી દુષ્કૃતરૂપ છે, અને હેય હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે. એમ મેં કલ્યાણમિત્ર ગુરુએ કહેલા ભગવાનના વચનથી જાણ્યું છે, અને આ એ પ્રમાણે જ છે એમ શ્રદ્ધાથી મને ગમ્યું છે. આથી અરિહંત અને સિદ્ધ સમક્ષ હું એ સર્વ પાપોની ગર્હા કરું છું. એ પાપો દુષ્કૃત હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે. આ પ્રસંગમાં (દુષ્કૃત ગર્હોમાં) મિચ્છા મિ દુક્કડં એમ ત્રણવાર બોલવું, અર્થાત્ મારું પાપ મિથ્યા થાઓ, મારું પાપ મિથ્યા થાઓ. મારું પાપ મિથ્યા થાઓ એમ કહેવું. ટીકાર્થ–માતાઓને વિષે-પિતાઓને વિષે— અહીં બહુવચન અનેક જન્મોની અપેક્ષાએ છે. (એક જન્મની અપેક્ષાએ માતા-પિતા એક જ હોય.)
-
૩૩
જે કંઇ વિપરીત આચરણ કર્યું હોય— અવિધિથી ઉપયોગ કરવો વગેરે રીતે જે કંઇ વિપરીત આચરણ કર્યું હોય.
પાપાનુબંધી— વર્તમાનમાં બંધાયેલ જે પાપ ભવિષ્યમાં પોતાના વિપાક કાળે પણ પાપ બંધાવે તે પાપાનુબંધી પાપ છે.
પાપનુર્વાય તાવિાળમાવેન એમ કહીને પાપના અનુબંધનો અર્થ જણાવ્યો છે. તથાવિપાક એટલે તેવા પ્રકારનો વિપાક. તેવા પ્રકારનો વિપાક એટલે ભવિષ્યમાં પાપના વિપાક કાળે પણ પાપ બંધાવે. જે પાપ ભવિષ્યમાં પોતાના વિપાક કાળે નવું પાપ બંધાવે તે પાપાનુબંધી પાપ.
પાપ— પાપબંધનું કારણ હોવાથી પાપ છે. પાપં પાપારઘેન એમ કહીને પાપ કોને કહેવાય તે જણાવ્યું છે. પાપનું કારણ હોવાથી પાપ છે. પાપનું કારણ હોવાથી એટલે પાપબંધનું (=અશુભકર્મબંધનું) કારણ હોવાથી. આમ જે પાપબંધનું કારણ બને=જેનાથી પાપનો બંધ થાય તે પાપ કહેવાય. (દેખાવથી પાપ હોવા છતાં પાપબંધનું કારણ ન હોય તો તેને પાપ ન કહેવાય. જેમ કે ઉપયોગપૂર્વક નીચે જોઇને ચાલનાર મુનિના પગની નીચે સહસા પડેલો જીવ મરી જાય તો પણ મુનિને હિંસાનું પાપ ન લાગે. કારણ કે આવી હિંસાના કારણે મુનિને પાપનો બંધ ન થાય.)