________________
પંચસૂત્ર
પહેલું સૂત્ર થઇ ગયો હોવાથી સિદ્ધો સર્વ પીડાઓથી રહિત છે.
સર્વજ્ઞ– સંપૂર્ણ જ્ઞાનવાળા. સર્વદર્શી– સંપૂર્ણ દર્શનવાળા. મુક્તિપુરીમાં રહેનારા મુક્તિપુરી એટલે લોકાંત. સિદ્ધો લોકના અંતે રહેલા
છે.
અનુપમ સુખથી યુક્ત અપેક્ષાથી રહિત સુખ અનુપમ સુખ છે. આથી સિદ્ધો. અપેક્ષાથી રહિત સુખથી યુક્ત છે, અર્થાત્ સંયોગથી રહિત આનંદથી યુક્ત છે. (સાંસારિક સુખ અપેક્ષાઓથી સહિત છે, અને ભૌતિક વસ્તુઓના સંયોગથી સહિત છે.) | સર્વથા કૃતકૃત્ય- સિદ્ધોએ કરવા યોગ્ય કાર્ય બધી રીતે કરી લીધું છે. માટે સિદ્ધો સર્વથા કૃતકૃત્ય છે, અર્થાત્ સિદ્ધોનાં બધાં કાર્યો પૂર્ણ થઇ ગયા છે. કોઇ વ્યક્તિ મકાન બંધાવે. એ મકાન બારી-બારણાં મૂકવા સિવાય બધી રીતે પૂર્ણ થઇ ગયું હોય તો પણ મકાન બંધાવનાર કૃતકૃત્ય કહેવાય. પણ સિદ્ધોને જરા પણ કંઇ કરવાનું બાકી નથી. માટે “સર્વથા” પદ મૂક્યું છે.
સિદ્ધ– જેઓ સિદ્ધ થઇ ગયા છે=સર્વથા કૃતકૃત્ય થઇ ગયા છે તે સિદ્ધો. પરમતત્ત્વરૂપ આવા સિદ્ધો મારું શરણ=આશ્રય થાઓ. (સિદ્ધો શ્રેષ્ઠ તત્ત્વ =નિચોડ) સ્વરૂપ હોવાથી પરમતત્ત્વરૂપ છે.)
૭. સાધુઓના શરણનો સ્વીકાર तहा पसंतगंभीरासया, सावज्जजोगविरया, पंचविहायारजाणगा, परोवयारनिरया, पउमाइनिर्दसणा झाणज्झयणसंगया, विसुज्झमाणभावा साहू सरणं ।
| III 'तहा पसंतगंभीरासया साहू सरणं' इति योगः । तथा न केवलं सिद्धाः शरणं, किन्तु साधवः शरणमिति क्रिया । किंविशिष्टास्ते ? इत्याह-प्रशान्तः क्षान्तियोगात्, गंभीरोऽगाधतया, आशयश्चित्तपरिणामो येषां ते 'प्रशान्तगंभीराशयाः' । एत एव विशेष्यन्ते-सहावयेन सावद्यः, सपापो योगो व्यापारः