________________
પંચસૂત્ર
- ૨૭
પહેલું સૂત્ર
कृतादिरूपः, तस्माद्विरताः 'सावद्ययोगविरताः' । एत एव विशेष्यन्ते-पञ्चविधमाचारं ज्ञानाचारादिभेदभिन्नं जानते इति ‘पञ्चविधाचारज्ञाः' । एत एव विशेष्यन्ते-परोपकारे एकान्तिकात्यन्तिकरूपे निरताः, 'परोपकारनिरताः' । एत एव विशेष्यन्ते-पद्मादीनि पङ्कोत्पत्तिजलस्थितिभावेऽपि तदस्पर्शनेन, कामभोगापेक्षयैवमेव भावः, इति निदर्शनानि येषां ते 'पद्मादिनिदर्शनाः' । आदिशब्दाच्छरत्सलिलादिग्रहः । एत एव विशेष्यन्ते-ध्यानाध्ययनाभ्यां एकाग्रचित्तानिरोधस्वाध्यायलक्षणाभ्यां संगताः 'ध्यानाध्ययनसंगताः' । एत एव विशेष्यन्ते-विशुध्यमानो विहितानुष्ठानेन भावो येषां ते 'विशुध्यमानभावाः' । क एवंभूताः ? किं वा एते ? इत्याह-तत्र सम्यग्दर्शनादिभिः सिद्धिं साधयन्तीति સાયવર', મુનય કૃત્યર્થ: તે મમ શરણમ્' માત્ર રૂતિ .
સૂત્રાર્થ તથા પ્રશાંત-ગંભીર આશયવાળા, સાવદ્ય યોગ વિરત, પંચવિધ આચારોના જાણકાર, પરોપકારમાં તત્પર, પદ્મ વગેરેના દૃષ્ટાંતવાળા, ધ્યાનસ્વાધ્યાયસંગત, વિશુદ્ધ થતા ભાવવાળા સાધુ ભગવંતો જીવન પર્યત મારું શરણ છે.
ટીકાર્થ-તથા કેવળ સિદ્ધો જ શરણ નથી, કિંતુ સાધુઓ પણ શરણ છે. એવો તથા શબ્દનો અર્થ છે.
પ્રશાંત-ગંભીર આશયવાળા- આશય એટલે ચિત્તપરિણામ.સાધુઓ ક્ષમાથી યુક્ત હોવાથી પ્રશાંતચિત્તપરિણામવાળા છે. સાધુઓનું ચિત્ત ગંભીર બીજાઓ ન જાણી શકે તેવું ઊંડું હોવાના કારણે સાધુઓ ગંભીર ચિત્તપરિણામવાળા છે.
સાવદ્યયોગ વિરત- અવદ્ય એટલે પાપ. અવદ્યથી સહિત તે સાવદ્ય. યોગ એટલે વ્યાપાર (=પ્રવૃત્તિ). વિરત એટલે વિરામ પામેલા=અટકેલા. સાધુઓ પાપવાળા વ્યાપારોથી વિરામ પામેલા હોય છે.
દ્વિરૂપ – સાવદ્ય વ્યાપાર કરવા આદિરૂપ છે, આદિ શબ્દથી કરાવવું અને અનુમોદવું સમજવું, અર્થાત્ કરવું, કરાવવું અને અનુમોદવું એમ ત્રણ પ્રકારે સાવદ્ય વ્યાપાર છે. સ્વયં સાવદ્ય વ્યાપાર કરે તે કરવારૂપ સાવદ્ય વ્યાપાર છે. એ રીતે કરાવવામાં અને અનુમોદવામાં પણ સમજી લેવું.
પંચવિધ આચારોના જાણકાર- સાધુઓ જ્ઞાનાચાર વગેરે પાંચ પ્રકારના આચારોના જાણકાર હોય. (આના ઉપલક્ષણથી આચારોને પાળનારા હોય એ