________________
પંચસૂત્ર
૧૪૭
પાંચમું સૂત્ર
યની જેમ અહીંમોક્ષ સાધનાના પ્રકરણમાં તત્ત્વનું અર્થાતુ પારમાર્થિક મોક્ષનું અંગ છે.
યોગ્યતા સદ્વસ્તુ છે-વસ્તુસ્થિતિ તો એ છે કે યોગ્યતાના પરિપાકની પ્રક્રિયા તો શું, પણ યોગ્યતાનું ભાને ય અર્થાત્ “વસ્તુ યોગ્ય છે' એવી બુદ્ધિ ય, વસ્તુ ખરેખર એવી હોય તો જ થાય. એટલે કે બુદ્ધિ અસહેતુક નહિ, પણ સહેતુક હોય છે, અર્થાત્ એ ભાન સત્ એવી યોગ્ય વસ્તુને આશ્રયીને જ જન્મી શકે છે, પણ અસતુને લઇને નહિ. વસ્તુમાં યોગ્યતા-અયોગ્યતા જેવા સ્વભાવમાં જો કાંઇ તફાવત ન હોય, તો કેમ યોગ્ય જ વસ્તુ શોધતા જવાય છે ? કેમ યોગ્ય ઉપર જ કાર્યની મહેનત થાય છે ? એ કાંઇ, “વસ્તુ બધી ય સરખી, માત્ર પોતાની કલ્પના અમુક પર યોગ્યતાની લગાવીને કાર્ય થાય છે. એવું નથી. નહિતર તો ક્યારેક ખરેખર યોગ્ય નહિ એવી વસ્તુ પર યોગ્યતાની કલ્પના કરી કરેલી મહેનત નિષ્ફળ કેમ જાય ? કાલ્પનિક યોગ્યતાની બુદ્ધિ તો ત્યાં છે જ, પછી કાર્ય કેમ ન થાય ? તલમાંથી જ તેલ નીકળે છે, રેતીમાંથી નહિ, એ સૂચવે છે કે તલમાં યોગ્યતા છે, રેતીમાં નહિ. મગમાં રંધાવાની યોગ્યતા છે, કોરડુમાં નહિ. આ વસ્તુસ્થિતિ સત્ન હોય તો કોરડુમાં આ મગ પચનયોગ્ય છે એવી કાલ્પનિક બુદ્ધિ પ્રમાણભૂત ઠરે ! એમ ગાંઠાદિ રહિત યોગ્ય કાષ્ઠની જેમ અયોગ્ય કાષ્ઠમાં પણ આ ગાંઠાળું કાષ્ઠ મૂર્તિ ઘડવા માટે અયોગ્ય છે.” એવું જ્ઞાન અપ્રમાણ ઠરે !)
હવે અનુષ્ઠાનને આશ્રયીને કહે છે-વ્યવહાર પણ મોક્ષનું અંગ છે. કહ્યું છે કે-“જો તમે જિનમતને સ્વીકારો છો ( માનો છો) તો વ્યવહાર-નિશ્ચય એ બંનેને ન મૂકો. કારણ કે વ્યવહારના ઉચ્છેદથી અવશ્ય તીર્થનો ઉચ્છેદ થાય.” આથી વ્યવહાર નય પણ મોક્ષનું અંગ છે, અર્થાત્ સત્યવૃત્તિરૂપ વ્યવહાર મોક્ષનું અંગ છે. તેનાં કારણો આ પ્રમાણે છે-પવિત્તિવિહોણો-(૧) તે પ્રવૃત્તિની વિશુદ્ધિ કરે છે, અર્થાત્ વ્યવહારનયથી પ્રવ્રયાદિ પ્રદાન દ્વારા પરલોક સંબંધી પ્રવૃત્તિની વિશુદ્ધિ થાય છે, અર્થાત્ મોક્ષના લક્ષથી પરલોક સંબંધી પ્રવૃત્તિ થાય છે. સિદ્ધ (૨) વ્યવહાર નયને માનવાથી અનેકાંતની સિદ્ધિ થાય છે. (એકલા નિશ્ચયનયને માનવો એ એકાંત છે.) છિયંકામાવેur (૩) પ્રવ્રજ્યાદિ પ્રદાન દ્વારા પરલોક સંબંધી પ્રવૃત્તિથી અપૂર્વકરણ આદિની પ્રાપ્તિ થતી હોવાથી વ્યવહારનય નિશ્ચયનયનું કારણ છે.
તે વ્યવહાર પરિશુદ્ધ હોવો જોઇએ. જિનાજ્ઞાની અપેક્ષાવાળો અને પુષ્ટ આલ