________________
પંચસૂત્ર
૧૪૬
પાંચમું સૂત્ર
રહેનારા જ્ઞાનાદિ ધર્મને જ સ્વભાવ કહેવાય. વ્યવહાર આ પ્રમાણે વ્યવસ્થિત છે કે ભવ્યત્વ સ્વભાવ કર્મ વગેરે કોઇ કારણથી થયેલો નથી, કિંતુ જીવ જ્યારથી છે ત્યારથી જ તેની સાથે રહેલો છે. આ સ્વભાવ અભવ્યોમાં નથી. તે ભવ્યત્વ દરેક ભવ્યમાં વિશિષ્ટ=ભિન્ન-ભિન્ન (તથાભવ્યત્વ) હોય છે. તથા તે સાધ્યવ્યાધિ સમાન હોવાથી કાલાદિની સામગ્રીનો યોગ થતાં વિપાકનાં સાધનોથી તેનો પરિપાક થાય છે. મોક્ષ થતાં તેની નિવૃત્તિ થાય છે. આ બધી વિચારણા પૂર્વે કરેલ છે.
તથાયોગ્યતાનુદ્ધ ત્રિવચનવા–તેવા પ્રકારની યોગ્યતાની બુદ્ધિનું પણ કારણ સર્વસ્તુ છે, અસ વસ્તુ નથી. અર્થાત્ અમુક વસ્તુ અમુક કાર્ય માટે યોગ્ય છે એવી બુદ્ધિ પણ સદ્ વસ્તુમાં થાય છે, અસદ્ વસ્તુમાં નહિ.
તત્વમાવવિગેરે તુ સાર્વાવોલાઇપિ તથા લુક્યસિદ્ધ =જો આ કાષ્ઠ પ્રતિમાને યોગ્ય છે, આ કાષ્ઠ પ્રતિમાને અયોગ્ય છે, એમ સ્વભાવમાં (અવિશેષ8) ભેદ ન હોય તો જેમ પ્રતિમાને યોગ્ય કાષ્ઠમાં આ પ્રતિમાને યોગ્ય છે એવી બુદ્ધિ થાય છે તેમ અયોગ્ય કાષ્ઠમાં પણ આ કાષ્ઠ પ્રતિમાને યોગ્ય નથી એવી બુદ્ધિ પ્રામાણિક સિદ્ધ નહિ થાય. કારણ કે યોગ્ય-અયોગ્યનો ભેદ ન હોવાથી બંને પ્રકારના કાષ્ઠ સમાન થાય.
ત્યાદિ નિત્નતિમત્ર ઇત્યાદિનું બીજા ગ્રંથમાં નિરાકરણ કર્યું છે. પૂર્વપ– વ્યવહાર સંવૃત્તિરૂપ =કાલ્પનિક કે અસત્) છે.
ઉત્તરપક્ષ- વ્યવહાર સંવૃત્તિરૂપ નથી. પ્રસ્તુતમાં વ્યવહાર પણ પરમાર્થનું ( મોક્ષનું) અંગ સાધન છે.
(યોગ્યતાનો આવો વ્યવહાર પણ વાસ્તવિક તેવા તેવા વિચિત્ર સત્ પદાર્થોને અવલંબીને પ્રવર્તે છે, નહિ કે વિના પદાર્થે. એ માત્ર જ્ઞાનસ્વરૂપ છે, અર્થાત્ કાલ્પનિક છે, એથી કોઇ એમ દુરાગ્રહ રાખે કે નિશ્ચયથી તો આત્મા અનંત જ્ઞાનસુખાદિ સ્વભાવવાળો છે, જ્યારે ભવ્યત્વાદિ વ્યવહાર તો કલ્પિત છે, માટે ભવ્યત્વને પકવવા કરવાની વાત ફજુલ છે,”તો એનો આ દુરાગ્રહ ખોટો ઠરે છે. ભવ્યત્વાદિનો આ વ્યવહાર સત્પદાર્થને અવલંબતો હોવાથી, એ વ્યવહાર પણ નિશ્ચ૧. કાઉસનું લખાણ પ.પૂ.આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.ના પંચસૂત્ર વિવેચન ગ્રંથ (પૃ.૪૯૨
૪૯૩) માંથી સાભાર અક્ષરશઃ ઉદ્ધત કર્યું છે.