SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર ૧૩૯ પાંચમું સૂત્ર तस्सेव तहाभावे जुत्तमेअं ॥१९॥ अत एवाह- तस्यैव तथाभावे युक्तमेतत् तथास्वभावकल्पनमिति । સૂત્ર-ટીકાર્ય– સત્નો સર્વથા વિનાશ માનવામાં પૂર્વોક્ત રીતે દોષ હોવાથી જ ગ્રંથકાર કહે છે-હા, જો ક્ષણનો દ્રવ્યનો જ પર્યાયરૂપ ઉત્પાદ થાય છે, અને વિનાશ પણ થાય છે, એમ માનવામાં આવે તો દ્રવ્યનો એક પર્યાયરૂપે ઉત્પન્ન થવું અને બીજા પર્યાયરૂપે નાશ પામવું એવો સ્વભાવ છે, એમ સ્વભાવની કલ્પના યુક્તિયુક્ત છે. કારણ કે તેમાં પૂર્વોક્ત સર્વથા અસત્ની ઉત્પત્તિ, સંસારનું આદિપણું કારણ-કાર્યનો અસંબંધ, સ્વભાવની નિરાધારતા વગેરે દોષો ન રહે. ૨૦. પ્રસ્તુત વિષયની સૂક્ષ્મતા सुहुममट्ठपयमेअं । विचिन्तिअव्वं महापण्णाएत्ति ॥२०॥ सूक्ष्ममर्थपदमेतद् भावगम्यत्वात्, विचिन्तितव्यं महाप्रज्ञया, अन्यथा ज्ञातुमशक्यत्वादिति । સૂત્ર-ટીકાઈ– આ વિષય અત્યંત સૂક્ષ્મ છે. કારણ કે આ વિષય ભાવાર્થથી જાણી શકાય તેવો છે, શબ્દાર્થથી જાણી શકાય તેવો નથી. આથી સૂક્ષ્મ બુદ્ધિથી આની વિચારણા કરવી. કારણ કે સૂક્ષ્મબુદ્ધિથી વિચાર્યા વિના આ વિષય ન સમજી શકાય. ૨૧. મોક્ષસુખની શ્રેષ્ઠતાનું કારણ अपज्जवसिअमेव सिद्धसुक्खं । इत्तो चेवुत्तमं इमं । सव्वहा अणुस्सुगत्तेऽणंतभावाओ ॥२१॥ __ आनुषङ्गिकमभिधाय प्रकृतमाह-अपर्यवसितमेवमुक्तेन विधिना सिद्धसौख्यम् । अत एव कारणादुत्तममिदम् । एतदेव स्पष्टमभिधातुमाह-सर्वथाऽनुत्सुकत्वे सति अनन्तभावात्कारणात् । સૂત્ર-ટીકાર્થ– પ્રાસંગિક વિષયને કહીને હવે પ્રસ્તુત વિષયને કહે છે-આ પ્રમાણે મોક્ષસુખ અનંત છે, આથી જ શ્રેષ્ઠ છે. આ જ વિષયને સ્પષ્ટ જણાવવા માટે કહે છે-કારણ કે મોક્ષસુખ તદ્દન ઉત્સુકતા વિના અનંત છે.
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy