________________
પંચસૂત્ર
૧૩૮
પાંચમું સૂત્ર
તરીકે સિદ્ધ નહિ થઇ શકે.
"(૨) બીજો વિરોધ એ છે કે કારણ-કાર્ય ભાવ નહિ રહે. જે સંતતિનો સર્વથા ઉચ્છેદ થાય છે તેની અંતિમ ક્ષણ અને જે સંતતિની ઉત્પત્તિ થાય છે તેની પ્રથમ ક્ષણ એ બંને વચ્ચે કારણ-કાર્ય ભાવ નહિ રહે. અર્થાત્ પ્રથમ ક્ષણરૂપ કાર્યનું અંતિમક્ષિણ કારણ નથી. આથી કારણ વિના જ કાર્યની ઉત્પત્તિ થશે.
પ્રશ્ન-ચરમક્ષણનો તેવો(ઋતદ્દન નિવૃત્ત થવાનો) સ્વભાવ છે અને આદ્યક્ષણનો ઉત્પન્ન થવાનો સ્વભાવ છે. જ્યાં સ્વભાવ હોય ત્યાં આમ કેમ એ પ્રશ્ન જ ન હોય.
‘ઉત્તર- ચરમક્ષણના તેવા સ્વભાવની કલ્પના અયુક્ત છે. કેમ કે તેમાં સ્વભાવ નિરાધાર બને, અથવા અન્વય (=સંબંધ) ન રહે એ બે દોષ અવશ્ય આવે છે. તે આ પ્રમાણે-(સ્વની=પોતાની. ભાવ એટલે સત્તા) સ્વભાવ એટલે આત્મીય સત્તા. આથી ચરમક્ષણનો નિવૃત્તિ સ્વભાવ છે એનો અર્થ એ થયો કે ચરક્ષણની સત્તા નિવૃત્તિ છે. અને સ્વાભાવિક આત્મીય સત્તા છે. ચરમણની નિવૃત્તિ છે એટલે ચરમણ નથી, અને ચરમક્ષણની આત્મીય સત્તા છે, તો આત્મીય સત્તા કોની ? આત્મીય સત્તાનો આધાર કોણ ? આ પ્રશ્નનો ઉત્તર મળતો નથી. આથી આત્મીય સત્તા=વભાવ નિરાધાર બને છે.
અથવા ચરમક્ષણનો તેવો સ્વભાવ છે એમ નહિ, કિંતુ ચરમક્ષણની નિવૃત્તિનો તેવો સ્વભાવ છે. આમ માનવામાં આત્મીય સત્તાનો=સ્વભાવનો આધાર નિવૃત્તિ છે. એટલે સ્વભાવ નિરાધાર નથી. પણ કારણ-કાર્યનો અવય (=સંબંધ) નહિ રહે. એટલે કે ચરમક્ષણ કારણ છે અને આદ્યક્ષણ કાર્ય છે એમ કારણકાર્યનો સંબંધ નહિ રહે. કારણ કે આદ્યક્ષણની ઉત્પત્તિ થાય છે, ત્યારે અંતિમક્ષણની નિવૃત્તિ છે=અંતિમક્ષણ નથી.
પ્રશ્ન–અહીં વિઝોકબે દોષ અવશ્ય લાગે છે એમ જકારપૂર્વક કેમ કહ્યું?
ઉત્તર– જો સ્વભાવ માનવામાં આવે અને આ બે દોષ ન માનવામાં આવે તો સ્વભાવ (પોતાની સત્તા એવો) અર્થ ઘટી શકે નહિ. શબ્દનો જે અર્થ ઘટતો હોય તે ઘટાડવો જોઇએ. સ્વભાવ શબ્દનો અર્થ ઘટાડતાં ઉક્ત બે દોષો અવશ્ય આવે છે. ૧૯. દ્રવ્યના ઉત્પાદ અને નાશ માનવામાં આવે તો દ્રવ્યના
ઉત્પાદ-નાશરૂપ સ્વભાવની કલ્પના યુક્તિયુક્ત છે.