________________
પંચસૂત્ર
૧૧૧
ચોથું સૂત્ર ___एतद् ज्ञानमित्युच्यते यदेवमिष्टवस्तुतत्त्वनिरूपकम् । एतस्मिन् शुभयोगसिद्धिः एतस्मिन् ज्ञाने सति शुभव्यापारनिष्पत्तिः लोकद्वयेऽपीष्टप्रवृत्तौ । किंविशिष्टा ? इत्याह- उचितप्रतिपत्तिप्रधाना संज्ञानालोचनेन, तत्तदनुबन्धेक्षणात् । न ज्ञस्तदारभते यद्विनाशयति ।
સૂત્ર-ટીકાર્ય– આ રીતે ઇષ્ટવસ્તુના સ્વરૂપને (=સુખ વગેરેના વાસ્તવિક સ્વરૂપને) જણાવનાર જ્ઞાન પરમાર્થથી જ્ઞાન છે. આવું જ્ઞાન થતાં ઉભયલોકમાં ઇષ્ટમાં પ્રવૃત્તિ થવાથી શુભ વ્યાપારોની સિદ્ધિ થાય છે. કારણ કે સમ્યગુ જ્ઞાનથી વિચારણા દ્વારા તે તે વ્યાપારના અનુબંધ (=પરિણામ) તરફ દષ્ટિ રાખીને ઉચિત પ્રવૃત્તિનો સ્વીકાર થાય છે. જ્ઞાની જે કાર્ય વિનાશ કરે ( આત્માનું અહિત કરે) તેનો પ્રારંભ ન કરે.
૨૮. ઉચિત પ્રવૃત્તિના રવીકારનું કારણ સ્થ માવો પવત્તો ૨૮ .
अत एवाह- अत्र भावः प्रवर्तकः प्रस्तुतप्रवृत्तौ सदन्तःकरणलक्षणो न મોદ તિવા
સૂત્ર-ટીકાર્થ-આથી જ કહે છે– પ્રસ્તુત પ્રવૃત્તિઓમાં પ્રવૃત્તિ કરાવનાર શુભ અંત:કરણરૂ૫ ભાવ છે, મોહ નહિ. શુભ અંત:કરણરૂપ ભાવ ઉચિત પ્રવૃત્તિ કરાવે છે. (મોહ અનુચિત પ્રવૃત્તિ કરાવે છે. અહીં શુભ અંતઃકરણરૂપ ભાવ પ્રવૃત્તિ કરાવનાર હોવાથી ઉચિત પ્રવૃત્તિનો સ્વીકાર થાય છે.)
૨૯. પ્રસ્તુત પ્રવૃત્તિમાં વિજ્ઞાભાવ અને તેનું કારણ पायं विग्धो न विज्जइ, निरणुबंधाऽसुहकम्मभावेण ॥२९॥
अत एवाह- प्रायो विनो न विद्यते अनाधिकृतप्रवृत्तौ, सदुपाययोगादित्यर्थः । एतद्बीजमेवाह- निरनुबन्धाशुभकर्मभावेन न ह्यनीदृश इत्यं प्रवर्तते, इति हृदयम् । सानुबन्धाशुभकर्मणः सम्यक् प्रव्रज्याऽयोगात् ।
સૂત્ર-ટીકાર્થ– આથી જ (=શુભ અંતઃકરણરૂપ ભાવ પ્રવર્તક હોવાથી જ) ગ્રંથકાર કહે છે- પ્રસ્તુત પ્રવૃત્તિમાં પ્રાયઃ વિઘ્ન આવતું નથી. કેમકે શુભ ઉપાયનો યોગ થયો છે.