________________
પંચસૂત્ર
૧૧૦
ચોથું સૂત્ર
સુરપાદિ સમાન અને સારી રીતે મોક્ષસાધક શુદ્ધ ભવ પામે છે, અર્થાત્ આવો સાધુ તે જ ભવમાં મોક્ષે ન જાય તો દેવલોકાદિમાં ઉત્પન્ન થાય છે. અને ધર્મસાધના કરતાં કરતાં એવો શુદ્ધ ભવ પ્રાપ્ત કરે છે કે જે ભવમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. “આ શુદ્ધભવ ભોગક્રિયા માટે સુરપાદિ સમાન છે.” એનો ભાવ એ છે કે, સુંદર રૂપ, યૌવન, વિચક્ષણતા, સૌભાગ્ય, મધુર સ્વર અને ઐશ્વર્ય એ ભોગનાં સાધનો છે. દુન્યવી દષ્ટિએ વિચારણા કરવામાં આવે તો જેની પાસે ભોગનાં આ સાધનો ન હોય તેની ભોગક્રિયા સમ્પન્ન થાય, જેની પાસે ભોગનાં આ સાધનો હોય તેની ભોગની ક્રિયાઓ સંપૂર્ણ થાય. તેવી રીતે તાત્ત્વિક દૃષ્ટિએ વિચારણા કરવામાં આવે તો મોલાસાધક શુદ્ધભાવવાળાની ભોગક્રિયાઓ સારી થાય છે, સંપૂર્ણ થાય છે. (તત:ક) તેનાથી, એટલે કે સુરપાદિ સમાન ભવથી તે સાધુ સંપૂર્ણ ભોગક્રિયાઓને પામે છે. કારણ કે (વિનદેવ માવો ) ભોગ ક્રિયાનાં સાધનો સંપૂર્ણ હોય છે. (સંજિનિકૂદવારોત્ર) ભોગસાધનોમાં ન્યૂનતા કે ખામી ન હોવાથી એ સાધનોનો ભોગવટો કરતાં કોઈ જાતનો સંક્લેશ ન થવાથી ભોગક્રિયાઓ સંક્લેશથી રહિત સુખરૂપ છે. (સંક્લેશરહિત સુખનું કારણ હોવાથી કારણમાં કાર્યના ઉપચારથી સંક્લેશરહિત સુખરૂપ છે.) (ઉપરોપતાવિ ) ભોગક્રિયા કરનાર વિચક્ષણતા (=પરને સંતાપ ન થાય તેમ વર્તવું જોઇએ ઇત્યાદિ બુદ્ધિ) વગેરે ગુણોથી યુક્ત હોવાથી તેની ભોગક્રિયાઓ બીજાને સંતાપ પમાડતી નથી, (મુંદ્રા મધુવંશે ) અને એથી જ ( વિચક્ષણતા વગેરે ગુણોથી યુક્ત હોવાથી) અનુબંધ થવાથી (ભવાંતરમાં પણ તેવી જ ભોગક્રિયાની પ્રાપ્તિ થવાથી) સુંદર છે. આવી ભોગક્રિયાઓથી અન્ય ભોગક્રિયાઓ સંપૂર્ણ નથી. કારણ કે અન્ય ભોગક્રિયાથી ઉભયલોકમાં સંક્લેશ વગેરે થવાના કારણે ભોગક્રિયાનું સ્વરૂપ રહેતું નથી. (જેમાં સંક્લેશ વગેરે ન થાય તેવી જ ભોગક્રિયા વાસ્તવિક ભોગક્રિયા છે.)
૨૭. જ્ઞાનનું સ્વરૂપ અને ફળ एअं 'नाणंति' वुच्चइ । एअंमि सुहजोगसिद्धी, उचिअपडिवરિપરા રહા,
૧. અવેરેવ=અનેક ભવોથી જ. અનેક ભવો સુધી આવી સાધના કર્યા પછી જ મોક્ષ સાધક શુદ્ધ
ભવને પ્રાપ્ત કરે છે.