SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર ૧૦૬ ચોથું સૂત્ર णिग्गंथे सणंकुमारमाहिंदाणं देवाणं तेउलेसं वीतिवयति । अह्रमासपरियाए समणे णिगंथे बंभलोगलंतगाणं देवाणं तेउलेसं वीतिवयति । णवमासपरियाए समणे णिग्गंथे महासुक्कसहस्साराणं देवाणं तेउलेसं वीतिवयति । दसमासपरियाए समणे णिग्गंथे आणय-पाणय-आरणा-च्चुयाणं देवाणं तेउलेस्सं वीतिवयति । एकारसमासपरियाए समणे गेविज्जाणं देवाणं तेउलेस्सं वीतिवयति । बारसमासपरियाए अणुत्तरोववातियाणं तेउलेस्सं वीतिवयति । तेण परं सुक्के सुक्काभिजाती भवित्ता सिज्झति, जाव अंतं करेति' । अत्र तेजोलेश्या चित्तसुखलाभलक्षणा । अत एवाह-ततः शुक्लः शुक्लाभिजात्यो भवति । तत्र शुक्लो नामाभिन्नवृत्तोऽमत्सरी कृतज्ञः सदारम्भी हितानुबन्ध इति । शुक्लाभिजात्यश्चैतत्प्रधानः । સૂત્ર-ટીકાર્થ– નિર્મલ વિવેકથી આવી 'બુદ્ધિવાળો, વિવેક વિના પણ સ્વભાવથી જ આવા ભાવવાળો, ગુરુના યોગ વિના પણ ક્ષયોપશમથી માપતુષમુનિની જેમ આવા પરિણામવાળો, કહ્યું છે કે-“સાધુઓમાં શાસ્ત્રવચનથી, ગુરુયોગથી અને શાસ્ત્રવચન-ગુરુયોગના અભાવમાં પણ વિવેક, શુભભાવ અને ચારિત્રના પરિણામ પ્રગટે છે.” પતન નહિ પામેલ અને પ્રકૃષ્ટ શુભભાવરૂપ તેજોલેશ્યાથી નિશ્ચયથી વધતો પ્રસ્તુત સાધુ બાર મહિનાના દીક્ષા પર્યાયથી સર્વ દેવોની તેજોલેશ્યાને ઓળંગી જાય છે, અર્થાત્ સર્વદેવોના સુખથી અધિક સુખનો અનુભવ કરે છે, એમ મહાવીર ભગવાને કહ્યું છે. આ વિષે આગમ આ પ્રમાણે છે-“શ્રી ગૌતમ સ્વામી શ્રી મહાવીર સ્વામીને પ્રશ્ન કરે છે કે-હે ભગવંત ! હમણાં જે શ્રમણ નિગ્રંથો વિચરી રહ્યા છે તે કોની ૧. આવી બુદ્ધિ એટલે પ્રસ્તુત સાધુમાં જેવી બુદ્ધિ છે તેવી. એ પ્રમાણે આવા ભાવ અને આવા પરિણામ વિષે પણ સમજવું. ૨. અહીં વિવેક એટલે શાસ્ત્રનો વિશિષ્ટ બોધ. કેટલાકને શાસ્ત્રના વિશિષ્ટ બોધપૂર્વક આવો ભાવ થાય અને કેટલાકને માપતુષમુનિ આદિની જેમ વિશિષ્ટ બોધ વિના પણ સ્વભાવથી જ આવો ભાવ હોય છે. તે પ્રમાણે કેટલાકને ગુરુના યોગથી આવા પરિણામ થાય છે, પણ કેટલાકને માપતુષમુનિ આદિની જેમ ગુરુના યોગ પહેલાં પણ કર્મના ક્ષયોપશમથી આવા પરિણામ થાય છે.
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy