________________
પંચસૂત્ર
ચોથું સૂત્ર
अपीडितः संयमतपःक्रियया आश्रवनिरोधानशनादिरूपया । तथा अव्यथितः सन् परीषहोपसर्गः क्षुद्दिव्यादिभिः । कथमेतदेवं ? इति निदर्शनमाह-व्याधितस्य सुक्रियाज्ञातेन रोगितस्य शोभनक्रियोदाहरणेन ।
સૂત્ર-ટીકાઈ– આ પ્રમાણે ઉત્તરોત્તર યોગોની=ધર્મ વ્યાપારની સિદ્ધિથી તે તે ગુણના પ્રતિબંધક પાપકર્મથી મુક્ત બને છે. આ પ્રમાણે વિશુદ્ધ થતો તે સંસારમાં રહે ત્યાં સુધી મોક્ષ સાધનારી ભાવક્રિયાની આરાધના કરે છે. અર્થાત્ પોતાને યોગ્ય જે ભાવક્રિયાનો આરંભ કર્યો છે તેનો નિર્વાહ કરવારૂપ ભાવક્રિયાને સિદ્ધ કરે છે, એટલે કે આરંભેલી ભાવક્રિયાનો બરોબર નિર્વાહ કરે છે–પાળે છે. તથા આસવ નિરોધરૂપ સંયમ અને અનશનાદિરૂપ તપની ક્રિયાથી પીડિત બન્યા વિના સુધા વગેરે પરિષહ અને દિવ્ય વગેરે ઉપસર્ગોથી વ્યથિત બન્યા વિના પ્રશમ સુખનો અનુભવ કરે છે. આ વિષયમાં રોગીની સક્રિયાનું દષ્ટાંત છે.
૧૯. રોગીની સક્રિયાનું દષ્ટાંતા एतदेवाहसे जहा १. नामए केइ महावाहिगहिए २. अणुहूअतव्वेअणे, ३. विण्णाया सरूवेण. ४, निविण्णे तत्तओ ५. सुविज्जवयणेण सम्मं तमवगच्छिअ, जहाविहाणओ पवण्णे सुकिरिअं ६. निरुद्धजहिच्छाचारे ७. तुच्छपत्यभोई ८. मुच्चमाणे वाहिणा ९. निअत्तमाणवेअणे १०. समुवलब्भारोग्गं पवड्माणतब्भावे ११. तल्लाभनिव्वुईए तप्पडिबंधाओ सिराखाराइजोगे वि वाहिसमारुग्गविण्णाणेण इट्ठणिप्फत्तीओ अणाकुलभावयाए किरिओवओगेण अपीडिए अव्वहिए सुहलेस्साए वड्डइ १२. विज्जं च बहु मन्नइ॥
तद्यथा- कश्चित्सत्त्वो महाव्याधिगृहीतः कुष्ठादिग्रस्त इत्यर्थः । अनुभूततद्वेदनः अनुभूतव्याधिवेदनः । विज्ञाता स्वरूपेण वेदनायाः, न कण्डूगृहीतकण्डूयनकारिवद्विपर्यस्तः । निर्विण्णस्तत्त्वतः, तद्वेदनयेति प्रक्रमः । ततः किम् ?