SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર ચોથું સૂત્ર પ્રવચન માતાનો ત્યાગ ભાવબાલનો ચારિત્રરૂપ પ્રાણનો નાશ કરવા દ્વારા અનર્થ કરે છે. એમ માર્ગગામી સાધુ જ્ઞાનરૂપ જ્ઞ-પરિજ્ઞાથી અને જ્ઞાનયુક્ત ક્રિયારૂપ પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી બરોબર જાણે છે. ૧૬. ચારિત્ર અને જ્ઞાનના બે પ્રકાર तहा आसासपयासदीवं, संदीणाऽथिराइभेअं, असंदीणथिरत्यमुज्जमइ जहासत्तिं । तथा आश्वासप्रकाशद्वीपं दीपं वा सम्यग्विजानातीति वर्तते । किंविशिष्टम् ? इत्याह-स्पन्दनस्थिरादिभेदम् । इह भवाब्धावाश्वासद्वीपो, मोहान्धकारे दुःखगहने प्रकाशदीपश्च । तत्राद्यः स्पन्दनवानस्पन्दनवांश्च. प्लावनवानप्लावनवांश्चेत्यर्थः । इतरोऽपि स्थिरोऽस्थिरश्च । अप्रतिपाती, प्रतिपाती चेत्यर्थः । अयं च यथासंख्यं मानुष्ये क्षायोपशमिकक्षायिकचारित्ररूपः, क्षायोपशमिकक्षायिकज्ञानरूपश्च । उभयत्राद्योऽनाक्षेपेणेष्टसिद्धये, सप्रत्यपायत्वात् । चरमस्तु सिद्धये, निष्प्रत्यपायत्वात् । सम्यगेतद्विजानाति, न केवलं विजानाति, अस्पन्दनवत् स्थिरार्थमुद्यमं करोति सूत्रनीत्या । कथम् ? इत्याह-यथाशक्ति शक्त्यनुरूपं । સૂત્ર-ટીકાર્ય– સંસારરૂપ સમુદ્રમાં આશ્વાસન આપનાર ચારિત્રરૂ૫ દ્વિીપ છે, અને દુઃખથી ગહન એવા મોહરૂપ અંધકારમાં પ્રકાશ કરનાર જ્ઞાનરૂપ દીપક છે. ચારિત્રરૂ૫ દ્વિીપ સ્પંદનવાન ( પાણીમાં ડૂબી જાય તેવો) અને અસ્પંદન (=પાણીમાં ન ડૂબે તેવો) એમ બે પ્રકારે છે. જ્ઞાનરૂપ દીપક અસ્થિર (=પ્રતિપાતી) અને સ્થિર (=અપ્રતિપાતી) એમ બે પ્રકારે છે. અર્થાતું ચારિત્ર અને જ્ઞાન એ બંને ક્ષાયોપશમિક અને ક્ષાયિક એમ બે-બે પ્રકારે છે, ક્ષાયોપશમિક ચારિત્ર અને જ્ઞાન વિષ્નસહિત હોવાથી તેમનાથી લાંબા કાળે ઇષ્ટસિદ્ધિ થાય છે. ક્ષાયિકચારિત્ર અને જ્ઞાન નિર્વિઘ્ન હોવાથી તેમનાથી (શીઘ) મોક્ષની પ્રાપ્તિ થાય છે. બંને પ્રકારનું ચારિત્ર મનુષ્યભવમાં જ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે તે સાધુ બરોબર જાણે છે, માત્ર જાણે છે એમ નહિ, કિંત અસ્પંદનવન ચરિત્ર અને સ્થિરજ્ઞાન મેળવવા ૧. જેમ સમુદ્રમાં તણાઈ રહેલા પુરુષને દ્વીપ (બેટ) મળી જતાં આશ્વાસન મળે છે કે હવે હું સમુદ્રમાં ડૂબીને મરી નહિ જાઉં. તેમ ચારિત્રીને ચારિત્રરૂપ દ્વિીપ મળી જવાથી હવે હું સંસાર-સમુદ્રમાં ડૂબી નહિ જાઉં એમ આશ્વાસન મળે છે..
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy