________________
ચોથું સૂત્ર
સૂત્ર-ટીકાર્થ— જે જીવ અપાયથી રહિત છે=નિરુપક્રમ ક્લિષ્ટ કર્મથી રહિત છે, પૂર્વે 'કહ્યો તેવો છે, સમ્યગ્દર્શનાદિથી યુક્ત છે, અને માર્ગગામી છે, તે જીવ સૂત્રમાં કહ્યા પ્રમાણે કરે છે અને સામાન્યથી અષ્ટ પ્રવચનમાતાથી યુક્ત હોય છે. આ જ વિષયને વિશેષથી કહે છે-ઇર્યાસમિતિ આદિ પાંચ સમિતિથી સમિત હોય છે. મનોગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત હોય છે. આવો સાધુ સમ્યગ્નાન પૂર્વક અષ્ટપ્રવચન માતાથી યુક્ત હોય છે એમ જણાવે છે-જેમ માતાનો ત્યાગ થતાંબાળક વિનાશ પામે છે, તેમ અષ્ટ પ્રવચન માતાનો ત્યાગ અવ્યક્તનો= ભાવબાલનો ચારિત્રરૂપ પ્રાણનો નાશ કરવા દ્વારા અનર્થ કરે છે, આવું તે સારી રીતે જાણે છે.
પંચસૂત્ર
૯૪
૧૪. વ્યક્ત શબ્દનો અર્થ
विअत्ते इत्थ केवली, एअफलभए ।
॥૪॥ व्यक्तोऽत्र कः ? इत्याह- व्यक्तोऽत्र भावचिन्तायां केवली सर्वज्ञः, एतत्फलभूतः प्रवचनमातृफलभूतः, सम्यग्भावपरिणत्या ।
સૂત્ર-ટીકાર્થ— અહીં વ્યક્ત કોણ છે તે કહે છે-અહીં તાત્ત્વિક વિચારણામાં સર્વજ્ઞ વ્યક્ત છે. સર્વશ સમ્યગ્ ભાવપરિણતિથી અષ્ટ પ્રવચનમાતાના ફળ સ્વરૂપ છે. ૧૫. પ્રવચનમાતાના ત્યાગથી થતા અનર્થને માર્ગગામી સાધુ જાણે છે. सम्ममेअं विआइ, दुविहाए परिण्णाए ।
"
एतद्विजानात्यनन्तरोदितम् । एतदेवाह - द्विविधया परिज्ञया ज्ञपरिज्ञया १ प्रत्याख्यानपरिज्ञया २ च । ज्ञपरिज्ञावबोधमात्ररूपा प्रत्याख्यानपरिज्ञा तद्गर्भक्रियारूपा ।
•
અનંતરોક્તને આ માર્ગગામી સાધુ સારી રીતે જાણે છે.
આ જ વિષયને ગ્રંથકાર કહે છે—
સૂત્ર-ટીકાર્થ— જેમ માતાનો ત્યાગ થતાં બાળક વિનાશ પામે છે, તેમ અષ્ટ
૧. મે સમત્તિકૢવળે ઇત્યાદિથી જેવો કહ્યો છે તેવો. ૨. ભાવબાલ=વીતરાગ ન બનેલ સાધુ.